SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ / વ્યાખ્યાન સાહિત્યસંગ્રહ–ભાગ ૨ જે, અષ્ટમ - જેઓ સુન્દર બીજા ખોરાકના પદાર્થોને છોડી માંસ ખાય છે તેઓ કિંમતી મેતીના હારને છોડીને કંઠમાં સપને ધારણ કરે છે, ચંદ્ર જેવું શ્વેત દુધ છેડીને મૂત્રનું પાન કરે છે, ચન્દ્રમાના જેવું શીતળ અને કેલરના પુષ્પ જેવું સુગંધી ચંદન છેડીને શખમાં આળેટે છે (તેમ સમજવું). ૩૩, માંસભક્ષણર્થ સર્વે હાનિ છે. चैतन्यं विषभक्षणादिव मधोः पानादिव प्राज्ञता, विद्यालस्यसमागमादिव गुणग्रामोऽभिमानादिव । शीलं स्त्रीजनसंस्तवादिव मनाक्लेशादिव ध्यानधीदेवार्चाशुचितादि पुण्यमखिलं मांसाशनान्नश्यति ॥ ३४ ॥ ___एतौ कस्यापि. જેમ ઝેર ખાવાથી ચેતન્ય, મધ અથવા મદિરા પીવાથી બુદ્ધિ, આળસ આવવાથી વિદ્યા, અભિમાનથી ગુણો, સ્ત્રીઓના સહવાસથી અથવા તેઓનાં વખાણથી શીલ અને માનસિક ચિંતાથી ધ્યાનનિષ્ઠ બુદ્ધિ નાશ પામે છે, તેમ માંસ ભક્ષણથી દેવપૂજા, પવિત્રતા આદિ સમગ્ર પુણ્ય નષ્ટ થાય છે. ૩૪ પ્રાણીમાત્રને પોતાના આત્માનું પ્રિયપણું (પ્રાણુને આત્મા કે પ્રિય છે). भृपः पृच्छति मांसमौल्यमनुगान् प्रोचुश्च तेऽत्पं सुतोऽ नल्पं वक्त्यभयो निवारयति भोस्तं दर्शयामि प्रभो । ને હાલમાં પ્રત્યક્ષ જોઈએ છીએ કે ઘણા એક બંધાણી લેકે અફીણના કસુંબા લઈ ઝોકાં ખાયા કરે છે તેમજ રારાબ પીનારાઓ પણ બેભાન બની જેમતેમ બક વાદ કરે છે, મુવાલીઓ શરીરે પુષ્ટ છતાં બેહાલ દશામાં મૂતાથી ફરે છે, અભિમાનીઓના ગુણે પણ સાંભળવામાં આવતા નથી વ્યભિચારીઓ ઉપરકી અછી બનીની માફક આડંબરો કરી ઘણી ચાતુરીથી વર્તણુક કરે છે છતાં તેમનાં પિગળીયાં કાંઈ ગુપ્ત રહેતાં નથી અને જેઓ પ્રપંચ પ્રવાહમાં પડી અંતઃકરણને કલેશમાં ઉતારે છે, તેવા ધ્યાનીઓ પણ ધ્યાનચુત થઈ ગયા છે તેમ માંસભક્ષણ કરનારાઓ પણ દેવપૂજા કરતા હોય અને જળ તથા કૃત્તિકા વિગેરેથી શરીરશુદ્ધિ કરતા હોય તે પણ તે સઘળું તેઓનું ફોકટ છે એટલું જ નહિ પણ તેને બદલે તેઓ મહાપાપમાં પડે છે.
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy