SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાહિત્યસરગ્રહ– ભાગ ૨ સપ્તમ આ મૂર્ખાઈ નહિ તે બીજું શું? દેવી પંથીઓએ જીવહિંસા દેવીને નિમિત્તે કરવામાં પાપ માન્યું નથી, તેઓ માંસભક્ષણ કરે છે, મદિરાપાન કરે છે છતાં પિતાને ધમ કહેવરાવે છે. કેટલાએક ભૂદે વિજયાદશમીને દિવસે અજ્ઞાની રાજાઓતરફથી પાડા મારવામાં આવે છે ત્યારે તે મરનાર પાડાની તે વખતે પૂજા કરાવે છે અને જે તરવાર પાડાની ગરદન ઉપર ફરવાની હોય છે તે તરવારની પૂજા પણ બ્રાહ્મણે જ કરાવે છે. દુનિયામાં હિંસાનો મોટામાં મોટે ફેલાવો જે કર્યો હોય તે બ્રાહ્મણથી જ થયેલ છે એમ કહેવામાં કાંઈ પણ આંચકે ખાવા જેવું નથી. યજ્ઞના નામે, દેવીપૂજનના નામે અને એવા બીજા કેટલાક ધર્મના બહાના હેઠળ જીવેને હણવાની કળ કલ્પિત વાર્તાઓથી ભરેલાં પુરાણો રચવામાં આવ્યાં અને તેનું શ્રવણ ભક્તિની આગળ ભૂદેવેજ કરાવવા લાગ્યા. બાહ્યક્રિયા શારીરાદિકની ગમે તેટલી શુદ્ધ દયામય હોય પણ પરિણામની વિશુદ્ધિને અભાવ હોય તે તે હિંસા વિનાને કહી શકાય નહિ. માનસિક વૃત્તિઉપર હિંસા-અહિંસાનો આધાર લટકી રહે છે, તે જેઓ હાલમાં “અહિંસા પરમ ધર્મ ના પિકાર કરનારાઓ અને તદનુકૂળ બીજા જેને બચાવતાં તન, મન અને ધનને એક દેશીય ઉપયોગ કરનારા હોય છે, તેઓ બીજી રીતે કેટલી મોટી ભૂલ કરે છે અને પોતે હિંસાના ભાગી બને છે, તે તેવા પ્રકારના જ્ઞાનની ગેરહાજરીને લઈને સમજી શકતા નથી. પ્રત્યક્ષ ઘણી વખતે આપણે જોઈએ છીએ તે તેવા જીવદયાપ્રતિપાળ ભાષા અસત્ય બેલે છે. વિશ્વાસઘાત કરે છે અને પ્રપંચ, છળ, કપટને તે પોતાની કુશળતા માને છે, વેપારમાં અનેક રીતે દેખીતા સાહુકારે બની પરધન હરણ કરે છે. પિતાના ફાયદામાં બીજાને ગમે તેટલી નુકશાનીને ભેગ આપવા તેમાં તેઓ નિઃશંક નિડરપણે વર્તે છે. આ શું કહેવાય? બીજા સામાન્ય જીવેને બચાવી મનુષ્ય જાત પ્રત્યે તેઓ કેવા નિર્દય બને છે એ આ ઉપરના લખાણથી સમજી શકાશે. તે એવા અહિંસા પરમો ધર્મ: એ શબ્દની વ્યાખ્યાને લાયક બિલકુલ ગણી શકાય નહિ. * મનુષ્યદયાના સંબંધમાં બહુ મંદતા રહે છે અને કોઈપણ તેતરફ લક્ષ ખેંચાતું હોય તે તે વિવેકપૂર્વક તે નહિજ ગણી શકાય. એક દુઃખી મા ણસને દશ રૂપીઆ આપી દઈએ તેના કરતાં તે પોતે દશ રૂપીઆ કમાઈ શકે તે બનાવીએ તો વધારે ઉત્તમ ગણાય. દાનશાળાઓ, છાત્રશાળાઓ અને પાણીનાં પરબની જેટલી જરૂર છે તેના કરતાં સહસ્ત્રગણું ઉઘાગશાળા, હન્નરશાળા અને વિજ્ઞાનશાળાઓની જરૂર છે. પાશ્ચાત્ય દેશના લોકો મનુષ્યદયાને વધારે માન આપે છે એમ આપણે પ્રશંસીએ છીએ, પણ તેના કરતાં ભારતવર્ષના મનુષ્યના પ્રાચીન રીતરીવાજો વધારે ઉત્તમ છે એમ માન્યા વિના નહિ ચાલે. કેમકે મનુષ્ય પ્રેમ, કુટુંબપ્રેમ, જ્ઞાતિપ્રેમ અને વાત્સલ્ય
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy