SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે, કથા-અધિકાર. ૧૨૧ તમે ચિતિશકિતને ઓળખતા જ નથી. ચિતિશક્તિને જેવા તમે પ્રિય છે, તેવું આખું જગતું-તુચ્છમાં તુચ્છ કીટથી તે બ્રહ્મપર્વતના સર્વપ્રિય છે અને તેથી જેમ ચિતિશક્તિ કેઈનું પણ અહિત ઈચ્છતી નથી તથા કરતી નથી, તેમ તમે પણ જ્યારે કોઈને પણ અહિત ઈચ્છતા નથી તથા કરતા નથી, ત્યારેજ તમે ચિતિશકિતમય થવાને, ચિતિશક્તિનું સર્વ સામર્થ્ય તમારામાં અનુભવવાને ચગ્ય થાઓ છે. ચિતિશક્તિ જે નિયમે વતે છે, તે નિયમેને અનુકૂળ વર્યા વિના, ચિતિશક્તિનું સામર્થ્ય જે સર્વજ્ઞત્વ તથા સર્વશક્તિમત્વ, તે તમારામાં પ્રકટવાના નથી. નદીને પ્રબળ પ્રવાહ જે દિશામાં વહેતે હેય તે દિશામાં નકાને હાંકનારને જ નદીના પ્રવાહનું બળ સાહાસ્ય કરે છે; તેથી વિરૂદ્ધ દિશામાં હાંકનારને તે પ્રબળ પ્રવાહ પ્રતિક્ષણે અડચણ કરે છે, તે જ પ્રમાણે ચિતિશક્તિને પ્રેમને પ્રવાહ જે દિશામાં વહે છે, તે દિશામાં પિતાના પ્રેમના પ્રવાહને વહેવડાવનાર મનુષ્યને જ ચિતિશક્તિનું અગાધ સામર્થ્ય પ્રતિક્ષણે સાહાસ્ય કરે છે. તેથી વિરૂદ્ધ વર્તનારને તે સર્વદા અડચણજ કરે છે. આથી કરીને પ્રત્યેક પ્રાણુનું ખરા અંતઃકરણથી નિરંતર હિત ઈચ્છવું તથા યથાશક્તિ કરવું, એજ ચિતિશક્તિની યથાર્થ ભક્તિને સૂચવનાર ચિહ્ન છે. અપકાર કરનાર પ્રતિ પણ જેઓ પરમ પ્રેમ દર્શાવતા નથી, પરંતુ તેનું અહિત કરવા તત્પર થાય છે, તેઓ ચિતિશતિના અલોકિક સામર્થ્યને કદી પણ પ્રાપ્ત કરતા નથી અને જે લોકિક સામર્થ્ય તેમને પ્રાપ્ત હોય છે તે પણ તેઓ કમે કેમે ખુએ છે. કે પણ આપણું અહિત કરે, કેઈ આપણુપ્રતિ શઠતા વાપરે તે તેનું આપણે અહિત ન કરવું? પતિ રાઠ્ય એ વચનાનુસાર તેના પ્રતિ શઠતા ન વાપરવી? કઈ બેલ મારી જાય, કે તમાચો મારી જાય, કેઈ આપણુપ્રતિ પ્રપંચ રચી જાય, આ સઘળું શું સહન કરવું? આવા શઠે પ્રતિ, આવા દુષ્ટપ્રતિ શું પ્રેમ કરી? તેમને શું શિક્ષા ન કરવી? ઉત્તરમાં સ્પષ્ટપણે કહેવાનું કે શઠના પ્રતિ શઠતા નહિજ કરવી; દુષ્ટના પ્રતિ દુષ્ટતા નહિજ યોજવી; અહિત કરનારનું અહિત કરવા નહિજ પ્રવૃત્ત થવું. ચિતિશક્તિને વિશુદ્ધ પ્રેમ દુષ્ટ તથા શઠે સર્વના પ્રતિ ઉદારપણે જ. તમે ઉત્તમ પ્રકારના અધ્યાત્મ બળની ઈચ્છાવાળા સાધક છે, ચિતિશક્તિમય થવાની અભિલાષાવાળા છે, તે તે દુષ્ટપ્રતિ પણ પ્રેમ જતાં જરા પણ સંકેચાએ નહિ. “પણ એથી વ્યવહારમાં હાનિ થશે, દુષ્ટ આપણુઉપર ફાવી જઈ આપણું માથાના બાળ પણ રહેવા નહિ દે તેનું કેમ? આ શંકા જે તમને ઉઠતી હોય તે જણાવવાનું કે તમે ચિતિશકિતના સામર્થ્યને જાણતા નથી. ચિતિશક્તિનાં લક્ષણોને હૃદયમાં પ્રકટાવનારને વ્યવહાર કઈ પણ કાળે બગડ નથી, બગડતો નથી અને બગડવાને સંભવ નથી. જેમ ઉધઈ અને ઝિને ખાઈ જવા સમર્થ નથી, તેમ ચિતિશક્તિનાં સ્વરૂપ લક્ષણેને હૃદયમાં ૧૬
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy