SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પરિ છે. મા પ્રકાર. અડકતા પણ નથી અને ભિક્ષામાત્રથી પેાતાનું ઉત્તરપાષણ કરી લેછે. મનુષ્યા પણ લાચારીથી એકેદ્રિયના નાશ કરેછે અને તે પાપને પરિહાર કરવામાટે સામુનિરાજોની સેવા, દાન, ધર્મ, આવશ્યક ક્રિયા વિગેરે જીવતાંસુધી કર્યાં કરેછે, ભિક્ષામાત્રથી ચલાવનાર સાધુઓને આરંભને દોષ લગાર પણ લાગતા નથી. કારણૂકે ગૃહસ્થ માણસ જે પોતાને માટે રાંધેછે, તેમાંથી એ લેાકો જરૂર હોય તેટલુંજ તથા દોષ વિનાનું માત્ર ગ્રહણ કરેછે. એ હેતુથી ગૃહસ્થને એવી પણ ખબર પડવા દેતા નથી કે આજ મારે ત્યાં સાધુ-મહારાજ ભિક્ષા લેવા આવનાર છે. અજાણતાંજ લેાજન વખતે ગૃહસ્થના ઘરતરફ જઇને સમયાનુસાર જે મળે તે આહાર ગ્રહણ કરી લેછે. જેથી કરીને કાઇ પણ દોષ પહેલાં અથવા પછવાડે લાગવાના સંભવ નથી. જુઓ, ઇંદ્રિયાના સ્વાદમાં લાલચુ ઉત્તમ જ્ઞાતિએએ પેાતાની ખાટી કીર્ત્તિને માટે કેવા અનથ ફેલાવી દ્વીધા ? વિચાર કરવા જેવી વાત છે કે હિંસા વિગેરેથી જો ધમ થતા હાય તા અધમ કેવી રીતે થશે ? કારણકે માંસાહાર કરનારાઓનું મન ઘણું કરીને કૃષિત અને મલિનજ હેાયછે. કાઇ પણ તિર્યંચ જીવને દેખતાં તેને એવા ખ્યાલ ઉભા થાયછે કે, આ જીવ કેવા સુંદર છે? આનું માંસ કેવું સ્વાદિષ્ટ તથા પુષ્ટિ કરનારૂં હશે? તથા આના શરીરમાંથી કેટલું માંસ નીકળશે? એટલામાટેજ માંસાહારીઓને વનમાં હરણુ વિગેરે જાનવરોને જોતાંવેંત તેને પકડી પાડવાની મરજી થઇ જાયછે અથવા તળાવ કે નદીને કાંઠે માછલાંને જોતાંવેંત મારવાની ઇચ્છા ઉત્પન્ન થઇ જાયછે. એવી રીતે આઠે પહેાર હિંસક જીવ રાદ્ર પરિણામવાળા રહ્યા કરેછે. જેવીરીતે વાઘ, સિંહું, ખિલાડી વિગેરે હિંસક થવાને ખાવામાટે કોઇ જીવ ન મળે તેપણ માઠાં કેમ બંધન કરવાથી નરકાદિ ગતિ મળેછે. તેવીજ રીતે માંસાહારી જીવાની પણ દશા જાણવી. અક્સાસ ! માંસાહારી જીવ સુંદર પક્ષીએના નાશ કરીને જંગલેને ખાલી કરી નાખેછે અને સુંદર બગીચામાં પેાતાના કુટુંબની સાથે આનયુક્ત મનથી બેઠેલાં પક્ષીઓને દુક વિગેરેવડે મારીને નીચે પૃથ્વીપર પાડી દેછે. ખરૂં કહેવા ઘા તા તે વખતના કમકમાટલાં દેખાવ દયાળુ પુરૂષોથી તે દેખી પણ શકાય નહિ. પરંતુ માંસાહારી તો તેને જોઇને ઘણી પ્રસન્નતાથી મારનારને ઉત્તેજન આપેછે કે વાહ! શાખાશ ! એકજ ગાળીએ કેવું નિશાન તાક્યું ? આ સ્થળે એક એ પણ વિચારવા ચેાગ્ય વાત છે કે, એક પક્ષીને મારનાર એકજ જીવનેા હિંસક નથી; પરંતુ અનેક જીવાના હિંસક છે. કેમકે જે પક્ષીને મરણુ પમાડયું હાય તે કદી તે સ્ત્રીજાતિ હોય અને તેનાં નાનાં નાનાં અચ્ચાં હોય તે માતા મરી જવાથી તે જીવી શકતાં નથી. વળી તે બધાના મરી જવાથી મારનારને ભયંકર પાપુના બંધ થાયછે. એટલામાટે તે કમબંધનનું અત્યંત દઢ કારણ હાવાથી પહેલેથીજ બુદ્ધિમાન પુરૂષોએ વિચારવું જોઇએ. જેમ કીડીએનાં દરની પાસે લાકે તેના ખાવામાટે સાકર અને قاهة
SR No.023353
Book TitleVyakhyan Sahitya Sangraha Part 02
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1916
Total Pages640
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy