SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ માનને સાચવતા. દુકાનના પરિવાર પણ એકનિષ્ઠ અને એટલે જ વફાદાર રહેતા. પરસ્પરમાં પ્રેમ-ભાવભયું" આ દર્શન મીઠા સ્મરણેથી ભરપૂર રહેતું અને હમેશા સુંદર લાગતુ. વ્યાપારક્ષેત્રે આ રીતે જેમ તેઓશ્રીએ પ્રગતિ સાધી તેમ જીવનનું સસ્કાર–ધન પશુ બીજી ખાજું વધતુ જ આવતું હતું. બાળપણથી જ તેઓશ્રીનું જીવન ધાર્મીક સંસ્કારાથી માએલ હતું. અને કુદરતી રીતે એ સમયના ભાવનગરના અગ્રગણ્ય વિદ્વાન પુરુષા શેઠ ઝવેરભાઈ ભાયંદ, વારા અમર, જસરાજ, શેઠે કુંવરજી આણુંછ, વકીલ મૂલચંદ નથુભાઈ, શેઠ ફત્તેચંદ ઝવેરભાઈ વગેરેના સમાગમ તેઓશ્રીને મળતા રહેતા, એટલે આ સમાગમથી તેએશ્રીની તત્ત્વજ્ઞાનપિપાસા વધતી આવી. ભાવનગર પધારતા ગુરુદેવાની સાથે જિજ્ઞાસુભાવે જ્ઞાનવિનિમય કરવાની તક જેમ જેમ મળતી ગઈ તેમ તેમ એ તકના લાભ લઈ નાનચર્ચામાં તે જીવનના આન માનતા હતા. એકધ્યાનથી હંમેશા પ્રભુ-ભક્તિ, ગુરુભક્તિ કરવી અને હંમેશા એક સામાયિક કરી તે પ્રસંગે જ્ઞાન–સંપાદન કરવાના તેઓશ્રીના નિયમ હતા. શ્રીયુત ફતેહચભાઈ સાથે તત્ત્વાર્થની ટીકા વગેરે તત્ત્વ-સાહિત્ય વાંચતા અને તેના ઉપર ચર્ચા કરતા. પરિણામે તેઓશ્રી પચ પ્રતિક્રમણુ, જીવ વિચાર, નવતત્વ, દંડક આદિ પ્રકરણા અને અન્ય તત્વથાના સારા અભ્યાસ કરી શકયા હતા, અને તીય-ભક્તિને અંગે તે દર પુનમે સિદ્ધગિરિની યાત્રા નિયમિત કરતા અને ગુરુ-ભક્તિ કરવાના સુગ લાભ પશુ મેળવતાં. આ રીતે તેએશ્રીનુ જીવન ધાર્મિક સસ્કારાથી ભયું " હતુ. તેમ તેઓશ્રીની જ્ઞાન–પિપાસા પણ ઉચ્ચ પ્રકારની હતી. આ સભાના તેઓ સ્તંભ સમા હતા, તેમના મિત્રા શ્રી વલ્લભદાસભાઈ માંષી, શ્રી ગુલાબચંદભાઈ આણુ 5 શ્રી ફત્તેહચ દબાઈ વગેરે
SR No.023349
Book TitleDharm Kaushalya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Atmanand Sabha
Publication Year1959
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy