SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માની વિભાવસ્થિતિ ૨૬૩. લેશ્યા-શુકલલેશ્યા એ એકવીસે ઔદયિક ભાવે વર્તે છે. જેવી ગતિમાં જીવ જાય છે, તેવી ગતિમાં તેને આ એકવીસ સ્થિતિઓનો ઉદય થાય છે. આમાં (ઔદયિક ભાવમાં) કર્મ પ્રકૃતિને ઉદય હોવાથી વિભાવ દશા છે. કર્મના ક્ષપશમથી જે ભાવ (અવસ્થા) આત્મામાં પ્રગટ થાય છે, તે ક્ષાપશમિક ભાવ છે. મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન પર્યવજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાનવિભંગઅજ્ઞાન–ચક્ષુદર્શન–અચક્ષુદર્શન–અવધિદર્શન– ક્ષાપશમિકસમ્યત્વ–દેશવિરતિચારિત્ર-સર્વવિરતિચારિત્ર(સરાગચારિત્ર)–ક્ષાપશમિકદાન–લાભ–ભેગ-ઉપભોગ અને વીર્ય એ અઢારે ભાવ, તે કર્મના ક્ષપશમથી વર્તે છે. આ ભાવમાં ઉદયકર્મોને ક્ષય થાય છે, અને અનુદયકર્મોને ઉપશમ. થાય છે. આથી તેને ક્ષયે પશમભાવ કહેવાય છે. આ ભાવમાં પણ કર્મપ્રકૃતિઓને દબાવવાની અને ક્ષય કરવાની એમ બને વાત હોવાથી તેમાં તે તે કર્મપ્રકૃતિઓને આત્માની સાથે સંબધ તે છે જ. માટે આ શાપથમિક ભાવવાળી આત્મદશા તે પણ વિભાવદશા છે. જેવી રીતે અગ્નિ ઉપર રાખ નાખવાથી અગર દીપક ઉપર ઢાંકણું દઈ દેવાથી, ગરમી અને પ્રકાશ દબાઈ જાય છે, તેવી રીતે ઉત્તમ પરિણામના બળથી મેહનીયકર્મની પ્રકૃતિ પિતાનું બળ આત્માને બતાવી શકે નહીં, ત્યારે તેને પશમિકભાવ કહેવાય છે. ઔપશમિકભાવ તે મોહનીયમની. પ્રકૃતિને જ હોઈ શકે છે. તેનાથી ઉપશમ સમ્યકત્વ અને
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy