SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ યથાર્થ તત્ત્વ પ્રરૂપક શ્રી જૈન દર્શન ૧૭૩. આ રીતે જૈનદર્શનની સમન્વયતાને નહીં સમજી શકનાર, એકાન્તવાદી, સર્વદર્શનેને પણ જૈન દર્શન સાચાં કહે છે, એવી વિપરીત ભ્રમણામાં ફસાઈ જાય છે. જેમ વિવિધશણગારોથી સજ્જ નવોઢા યુવતિ પ્રત્યે, વેગી પુરૂષની દ્રષ્ટિ, વૈરાગ્યપૂર્ણ અને સમદર્શી વતી હોવા માત્રથી, કામીપુરૂષની દ્રષ્ટિને પણ કંઈ વૈરાગ્યપૂર્ણ અને સમદશી કહી શકાતી નથી. તેવી રીતે સ્યાદ્વાદદ્રષ્ટિવંત મનુષ્ય, પ્રત્યેક નયને સમ્યક્ પ્રકારે જતા હેવાથી, એકાંત દ્રષ્ટિવંતને માટે પણ પ્રત્યેક નયની દ્રષ્ટિ, કંઈ સમ્યક્ બની. જતી નથી. તેની દ્રષ્ટિ તે જ્યાં સુધી તે એકાંતવાદને સાપેક્ષતાથી નહિ જુએ, ત્યાં સુધી મિથ્યાસ્વરૂપે જ બની. અહિં દરેક નયની સમન્વયતા યા ભિન્નતા, તે દ્રષ્ટાની દ્રષ્ટિને અનુલક્ષી છે. એટલે જૈનદર્શનની સમન્વયતા તેના પિતાના માટે જ છે. પરંતુ એથી એમ નથી સમજી લેવાનું કે મિથ્યા એકાંગવાદીઓમાં પણ સમન્વયતા આવી જાય છે. અગર મિથ્યા એકાંગવાદ રૂપે વ્યવહારતા નયવાદો પણ સમ્યગુરૂપે વ્યવહારતા ગણાય છે. મિથ્યા એકાંગવાદીઓ તે જ્યારે તેઓની મિથ્યા એકાંગ માન્યતાને, સમ્યગુ એકાંગરૂપે પરિણાવે છે, ત્યારે જ તેઓ સમ્યગુવંત કહેવાય છે. એ રીતે સમ્યગુપણાને પામેલા. મિથ્યાદર્શનનું સમૂહમય દર્શન, તે જ જૈનદર્શન હેવાનું દર્શાવતાં આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરી મહારાજાએ સ્વરચિત
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy