SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુત્વનુ સ્પષ્ટીકરણ ૧૨૩. આવે છે. અને પછીના ચાર નયો વિશેષગામી હોવાથી પર્યાયાર્થિ ક નયના ભેદ તરીકે વર્ણવવામાં આવે છે. આના અથ એટલે જ સમજવા ઘટે કે પ્રથમના ત્રણમાં સામાન્યતત્ત્વ અને તેના વિચાર વધારે સ્પષ્ટ છે. કારણકે તે ત્રણ વધારે સ્થૂલ છે. ત્યારપછીના ચાર નયે। વિશેષ સૂક્ષ્મ હોઈ તેમાં વિશેષ તત્ત્વ અને તેને વિચાર સ્પષ્ટ છે. તેમ છતાં પણ દ્રવ્યાર્થિ ક નયની ભૂમિકા ઉપર ગેઠવાએલા ત્રણ નયામાં, પૂ કરતાં ઉત્તરનયેા સૂક્ષ્મ હોવાથી તેટલે અંશે તે ઉત્તર નયા, પૂના નયની અપેક્ષાએ વિશેષગામી સમજવા. એ રીતે પર્યાયાર્થિક નયની ભૂમિકા ઉપર ગાડવાએલા ચાર નયેાપણુ અનુક્રમે વિશેષ ગામી સમજવા, આ દ્રવ્યાર્થિ ક નયના ત્રણ અને પર્યાયાર્થિ ક નયના ભાગેા મળી કુલ્લ સાત ભાગાનાં નામ, ચાર (૧) નૈગમ (૨) સંગ્રહ, (૩) વ્યવહાર (૪) જજીસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ અને (!) એવભૂત છે. જે આ સાતે ભાગો તે, દ્રવ્યાર્થિ ક અને પર્યાયાર્થિ ક એમ એ મૂળ–નયોના જ ઉત્તર ભેદો છે. દરેક ઉત્તર નય, પેાતે જે મૂળ નયના ભેદ છે, તે તે મૂળ નયના ગ્રાહ્ય વિષયને જ જુદી જુદી રીતે વર્ણવતા હેવાથી તે ઉત્તર નયોનું કાર્યાં, મૂળ નયાના પ્રદેશબહાર હાઈ શકતુ નથી. તેઓ તો ફક્ત પોતપાતાના મૂળનયગૃહીત અ’શને જ કાંઈક વધારે વધારે ઝીણવટથી ચર્ચે છે.
SR No.023343
Book TitleAatm Vigyan Part 02
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherKhubchand Keshavlal Parekh
Publication Year
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy