SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ નામાંકિત નાગરિક પ્રતિમાઓ ત્યારપછી ટૂંકમાં અને અન્યત્ર બિરાજમાન થયા છે. આ સાથે આપેલા પરિશિષ્ટ પરથી જોઈ શકાશે કે આ બને કઠામાં હજુ પણ ૩ર અને ૬૮ પ્રતિમાઓ છે, પણ એ પ્રતિમાઓ ઘણું મોટી સંખ્યામાં પ્રતિષ્ઠા વખતે ત્યાં હતી એ પ્રસિદ્ધ વાત છે. અત્યારે મોતીશાહ શેઠની ટુંકમાં અને ભમતીમાં દેરાસરોમાં થઈને કુલ ૧૭૨૮ જિનબિંબ છે તેમાં ૧૬૩૪ આરસનાં છે, ૮૬ ધાતુનાં છે અને ૮ ચાંદીનાં છે એ સર્વ હકીક્ત સદર પરિશિષ્ટમાં આપેલ વિગત પરથી જોઈ શકાશે. અહીં શેઠ ખીમચંદભાઈ સંબંધી થોડી હકીકત જણાવીએ. પ્રતિષ્ઠા કરીને પાછા મુંબઈ આવતાં વૈશાખ માસ થઈ ગયે (સં. ૧૮૯૩) ત્યાર પછી તેમણે વહીવટ શરૂ કર્યો. તેમના હાથમાં સં. ૧૮૯૨ ના ભાદરવા સુદ એકમે વહીવટ આવ્યા. તે રીતે જોતાં તેમણે સેળ વર્ષ વહીવટ કર્યો. એમનું ધ્યાન વેપારમાં બહુ નહતું. તેઓ સ્વભાવના ભેળા હતા અને તેમના ભેળપણને લાભ બીજા ધુતારા લેકે બહુ લેતા રહ્યા. તેઓ પૂજાભક્તિમાં ખૂબ રસ લેતા, પણ વ્યાપાર માટે જે કુનેહ, અગમચેતી અને આવડત જોઈએ તેને તેમનામાં અલ્પાંશ હતું અને મોટા પાયા ઉપર પરદેશને વેપાર બેડવામાં તે બહુ સાવધાન રહેવું પડે, નહિ તે માર ખાઈ જતાં વાર ન લાગે. ખીમચંદભાઈ શરીરે ગેરવર્ણના હતા. એમનું શરીર પડછંદદાર હતું, પણ એમને ફેટે જોતાં એમનામાં ઊંડાણ કરતાં ભેળપણ જરૂર તરી આવે છે. તેઓ માથા પર પારસી
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy