SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ ૨૪૯ તંબૂ નાખી આખું નગર વસી ગયું હતું. આડે વગડે જનતાનો કીલકીલાટ અને કુદરતનો મહિમા છાઈ રહ્યો હતે. કાઠિયાવાડના સુપ્રસિદ્ધ શિયાળો એટલે સંભાળ રાખવામાં આવે તે તંદુરસ્તી સુધારવા એગ્ય ઋતુ, આરોગ્ય જાળવવાની વ્યવસ્થાસરની ગોઠવણ અને જનતાને સહકાર સાથે હોઈ આ આ ખાલી પ્રદેશ જનતાથી જામી ગયે, હળીમળી ગયે અને ચારે તરફ ધર્મને જયજયકાર અને અનેક વર્ષ પછી મઘા મિલન પ્રસંગે થતે સૌહાર્દને આવિર્ભાવ ઉછળી રહ્યા અને આવા અતિદુર્લભ આનંદદાયક પ્રસંગનો લાભ આબાલવૃદ્ધ ઉઠાવી રહ્યા. આવી રીતે સં. ૧૮૯૩ ના પોષ વદ ૧ થી માંડીને પાલીતાણા ગામમાં અને ગામની બહાર ગિરિરાજની તલાટી સુધીમાં આનંદમંગળ વર્તી રહ્યા. આજે અમદાવાદને સંઘ આવ્ય, તે કાલે ઘોઘાને આવ્યું, એમ કેટલાક સંધે તે દિવસ પહેલાં અને કેઈ ત્યાર પછી એમ સેંકડે સંઘે આ મહાપ્રસંગ પર પાલીતાણે પહોંચ્યા. કાઠિયાવાડના લોકેએ સર્વથી મેટી સંખ્યામાં ભાગ લીધે, પણ તેટલી જ સંખ્યા ગુજરાત અને મુંબઈથી આવી અને મારવાડ, મેવાડ, દક્ષિણ, સર્વ સ્થાનેથી મેળે જાતે ગયે, વધ ગયે, બહલતે ગયે. આ પ્રમાણે અનેક માણસે જુદા જુદા સંઘમાં કેટલાક પોતાની સગવડે ત્યાં આવ્યા અને પાલીતાણું ત્યારે કેન્દ્રસ્થાન બની ગયું. એ લોકેની સુખ-સગવડની નેકરી કરવા, જનમેળાના દર્શન કરવા અને આવા કવચિત્ મળતા પ્રસંગેનો લાહો લેવા જેનેરો. પણ મેટી સંખ્યામાં આવવા લાગ્યા અને પાલીતાણું તથા આસપાસને પ્રદેશ મધપુડાનીમાફક આનંદનામું જારવથી ગાજી રહ્યો.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy