SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મોતીશાહ કરતા થયા, ઘરના ગાડીઘેડા થયા. માળા બંધાવ્યા અને આ રીતે આબરુ-સંપત્તિ વધવા સાથે ૧૯૦૨ માં એને ત્યાં પુત્રજન્મ થયે. એનું નામ ત્રીકમજી પાડયું. રૂને વેપાર પણ વધાર્યો, એમના બીજા પુત્રનું નામ ઉમરશી અને પુત્રી પદ્માબાઈ. હવે એનું ધ્યાન ધર્મ તરફ વળ્યું. એણે કચ્છ–ઠારામાં ૧૯૧૪ માં ભવ્ય દેરાસર બંધાવવાની શરૂઆત કરી. એને માટે હશિયાર કારીગરોને બેલાવ્યા. એને ખૂબ સુંદર ચણાવ્યું. ચાર વર્ષ સુધી એ કામ ચાહ્યું, એ દેરાસરનું કોતરકામ, ગર્ભદ્વાર ખાસ જોવા લાયક છે. સં. ૧૯૧૮ માં વેલજી શેઠે આ ભવ્ય દેરાસરનું બાંધકામ પૂરું કર્યું. ત્યારબાદ સ્નેહી સંબંધી સ્વધર્મી પર કંકેતરી મેકલી મેટ સંઘ કાઢ્યો. શત્રુંજય ગિરનારની હજારે લેકને યાત્રા કરાવી મોરબી માગે સંઘ કચ્છ લાવવામાં આવ્યો. અને ત્યાં કઠારામાં મેટી ધામધૂમથી પ્રતિષ્ઠા કરવામાં આવી. તે વખતે સાધુઓ પણ મેટી સંખ્યામાં આવ્યા હતા. દિવસ સુધી ગામનો ધૂમાડે બંધ કરાવ્યું. આખા કચ્છમાં આ દેરાસર પ્રસિદ્ધ છે અને કારીગીરીની નજરે ઉત્કૃષ્ટ ગણાય છે. આ વખતે વેલજી શેઠની સંપત્તિ પચાસ લાખ ઉપરની ગણાતી હતી. વેલજી શાહના નામના બદલે તેઓ લોકક્તિમાં તે વેલા માલના નામથી જ ઓળખાતા હતા, પણ રૂબરૂમાં તેમને વેલજી શેઠને નામે સંબોધવામાં આવતા હતા. શેઠ નરશી નાથાનું કુટુંબ કછી દશા ઓશવાળમાં અગ્રગણ્ય હતું, તેમના દીકરા હરભમની પુત્રી સાથે વેલાશાના પુત્રનું લગ્ન
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy