SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠે માતીશાહ ૧૦૯ મળ્યું હતું અને એમની ઉદારતાના અનેક દાખલા નોંધાયેલા છે, જે બતાવે છે કે–તેમનામાં અસલ ખાનદાનીનું ખમીર હતું અને ગરીબને સહાય કરવામાં અને સંબંધમાં આવનારને નવાજવામાં તેઓ એા હતા. સંપત્તિમાં ઉછરેલા અને લાડમાં માણેલા હાવા છતાં એમનામાં ધનનું અભિમાન નામ માત્ર પણ નહોતું અને છતાં તેની સાથે મમતા અને દીઘ વિશાળતા હોવાથી એમની ‘હાકેમતામાં આછકલાઈ જરા પણ જણાતી નહેાતી. હઠીભાઈ શેઠની ધ ભાવના સતત જાગૃત હતી. એમણે અત્યંત વ્યવસાય હાવા છતાં દેવદર્શન કી છેાડવા નહાતા. એમણે નાનકડુ' દેરાસર પેાતાની વાડીમાં જ રાખ્યું હતુ અને ત્યાં શત્રુજયની ટુંક જેવું ખાવન જિનાલયનું દેરાસર કરવાની તેમની ઈચ્છા થતાં તેને માટેના પાયેા સં. ૧૯૦૧ ના માહે માસમાં નાખ્યા અને તેના ઉપર સ્થાપત્યના નિયમ પ્રમાણે કારીગીરીવાળુ' ભવ્ય દેરાસર તૈયાર કરાવવાની સવ સામગ્રી ચેાજી. મેાતીશાહ શેઠની પેઠે એ દેરાસર તૈયાર થાય અને એની પ્રતિષ્ઠા થાય ત્યાં સુધી એ રહ્યા નહિ એ ભવિતવ્યતાની વાત છે, પણ એમણે ધર્મ પ્રેમ જખરા બતાવ્યા. સ’. ૧૮૯૯ માં શેઠ હેમાભાઈ વખતચંદ અને રાવબહાદુર શેઠ મગનભાઈ કરમચંદના ભાગમાં પંચતીર્થીના અસાધારણ મોટા સઘ કાઢ્યો અને કાલેરાના ઉપદ્રવને કારણે એનુ‘ આગળ પ્રયાણુ બંધ રહ્યું. બાકી એમાં લાખાની જનસખ્યા, હજારાની ગાડાંની સખ્યા અને અપરંપાર રાવટી, તંબૂઓ અને સાજસામગ્રીની ગોઠવણુ જોતાં આ કળિયુગમાં સથી મહાન્ એ સઘ થાત, એમ એનુ વર્ણન વાંચતા લાગ્યા વગર રહે તેમ નથી.
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy