SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ નામાંકિત નાગરિક શાળા તૈયાર થઈ ગઈ હોય એ હકીકત વધારે સંભવિત લાગે છે. પંદર દિવસમાં ધર્મશાળા તૈયાર ન થઈ શકે અને તેને કાર્તિકી પુનમના લાભ યાત્રાળુને મળવો અસંભવિત ગણાય. ધર્મશાળા આટલા ટૂંકા ગાળામાં તૈયાર થઈ શકે તેવી નથી. પાલીતાણા શહેરમાં તે વખતે કેઈ ધર્મશાળા વિશાળ પાયા પર ન હતી. આ ધર્મશાળા વિસ્તાર કેટલું છે તે નીચેના પાકા માપ ઉપરથી ખ્યાલમાં આવશે. ધર્મશાળાના મકાનના ગજ ૪૬૬૮–૮–૦ પગથીઆ તથા ઓટલાના ગજ ૧૩૬–૧–૦ ૪૮૦૪–૧-૦ આ ધર્મશાળાનાં ભોંયતળીએ અને પહેલે માળે મળીને ૫૦ ઓરડા છે. અને રસ્તા ઉપર ૧૭ દુકાને છે અને જુદા જુદા ૪ મકાને છે. આ ધર્મશાળામાં કેઈ જાતને લેખ મળી આવતું નથી. માત્ર એમાં વાસ કરનાર સાધુ સાધ્વીને શય્યાતર કરવામાં સગવડ પડે તે માટે નામવાર લીસ્ટ ત્યારપછી કરેલ અને કેતરાવેલ એક સ્થાનકેથી મળી આવેલ છે, પણ તેને હેતુ તદ્દન જુદે જ છે. અમુક સ્થાનના માલિકનું ઘર “શય્યાતરી કરવાને જેન સાધુને આદેશ છે. એટલે જે દિવસે અમુક ઘર શય્યાતર કર્યું હોય તે દિવસે તેના ઘરના આહારપાણ ન લેવાય, પણ જરૂરી દવા લઈ શકાય. સંઘની માલિકીનું મકાન હોય તે એક આગેવાન શ્રાવકના ઘરનું શય્યાતર કરવાની શાસ્ત્રાણા
SR No.023340
Book TitleSheth Motishah
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherGodiji Jain Derasar ane Dharmada Trust
Publication Year1991
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy