SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર - મનોરમા પાલખીમાં બેઠેલા મલ્લી અરિહંત પ્રભુની સામે સૌથી પ્રથમ અનુક્રમે આઠ આઠ મંગળ દ્રવ્ય મૂકવામાં આવ્યા તે આઠ મંગળ કયા છે? (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદિકાવર્ત (૪) વર્ધમાન (૫) ભદ્રાસન (૬) કળશ (૭) મત્સ્ય યુગ્મ (૮) દર્પણ. આ આઠ મંગલ વરતુઓ છે. મલ્લીનાથ પ્રભુ શિબિકા પર આરૂઢ થયા ત્યારે તેમની આગળ આ આઠમંગલ મૂકવામાં આવ્યા. “gs નિકા કમાજિરા” આ પ્રમાણે ભગવતી સૂત્રમાં કહેલા જમાલિના નિર્ગમની જેમ અહીં પણ મલ્લી અરિહંતનું નિર્ગમન કહેવું એટલે સમજી લેવું. હવે મલ્લી અરિહંત પ્રભુને વરઘોડે સહમવન નામે ઉઘાનમાં જ્યાં અશોકવૃક્ષ હતું ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચીને તેઓ પાલખીમાંથી નીચે ઉતર્યા. નીચે ઉતરીને પિતાના શરીર ઉપર પહેરેલાં આભરણે અને ઘરેણાં પોતાની જાતે ઉતારવા લાગ્યા. ત્યારે તેમની માતા પ્રભાવતીએ તે આભૂષણે પિતાની સાડીના પાલવમાં ઝીલી લીધા. એક પછી એક બધા આભૂષણે પ્રભુએ ઉતારી નાંખ્યા. ત્યાર પછી મલ્લીનાથ અરિહંત પ્રભુએ સ્વયં પંચમુષ્ટિ લેચ કર્યો. અરિહંત પ્રભુ પિતે સ્વયં બંધ પામેલાં હોય છે અને સ્વયં દીક્ષા લે છે. મલ્લીનાથ ભગવંતે “સિદધોને મારા નમસ્કાર” એમ કહી સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું. ભગવાને જ્યારે ચારિત્રને સ્વીકાર કર્યો ત્યારે દેવોનાં દિવ્ય વાજિંત્રે વાગી રહ્યા હતા. મનુષ્યના મંગલ વાજિંત્રો વાગતાં હતાં. તે વખતે શકેદ્ર મહારાજાએ આજ્ઞા કરી કે વાજિંત્રો વાગતાં બંધ કરે ને શાંત થઈ જાઓ. શકેન્દ્રની આજ્ઞા થતાંની સાથે વાજિંત્રો વાગતાં બંધ થઈ ગયા. મનુષ્યો અને દેવે મુખેથી ભગવાનને જયજયકાર બેલાવતાં હતાં તે બધે અવાજ શાંત થઈ ગયે. તે જ સમયે મલ્લી અરિહંત પ્રભુએ સામાયિક ચારિત્ર અંગીકાર કર્યું તે સમયે તેમને “માણુ ધમાકો કત્તપિ માપનાવનાળે સમુને ” મનુષ્યક્ષેત્ર સબંધી એટલે મનુષ્ય ક્ષેત્રમાં રહેલા સંજ્ઞી પંચેન્દ્રિય નાં મગત ભાવને જાણનારું ઉત્તમ મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. મનુષ્યક્ષેત્ર કેટલું છે તે જાણે છે ને ? બે ભાઈઓ. તમે જવાબ નહિ આપે. અમારી બહેને જવાબ આપશે. અઢીદ્વીપ એ મનુષ્યક્ષેત્ર છે. અઢીદ્વીપમાં રહેનારા સંસી પંચેન્દ્રિય જેના મને ગત ભાવ મને પર્યાવજ્ઞાની જાણી શકે છે. મલ્લીનાથ પ્રભુ મતિ, કૃત અને અવધિ એ ત્રણ જ્ઞાન તે જન્મથી સાથે લાવેલા હતાં, અને એથું મનપર્યાવજ્ઞાન પ્રાપ્ત કર્યું. અઢીદ્વિીપ પંદર ક્ષેત્રમાં મનુષ્ય ગમે ત્યાં હોય તે તેના મનમાં શું છે તે વાત મનપર્યાવજ્ઞાની જાણી શકે છે. તમને પણ અહીં બેઠાં બેઠા અઢી દ્વીપના મનુષ્યના મનના ભાવને જાણી શકાય તેવું જ્ઞાન થાય તે ગમે છે ને ? “હા”. જ્ઞાન જોઈએ છે પણ ઘર છોડવું નથી તે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy