SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર તમારી માન્યતા સાચી છે? શું પાપ કરવાથી આત્માની શુદ્ધિ થાય ખરી ? આ પ્રમાણે મલ્લીકુમારીએ ચેક્ષાને પ્રશ્ન કર્યો. મલી મારી પાસે ચેક્ષાની થયેલી હાર - ત્યારે ચોક્ષા પરિનાજિક પિતાના ધર્મમાં શંકાવાળી બની. કાંક્ષાથી યુક્ત બની. વિચિકિત્સા એટલે ક્રિયાના ફળની પ્રાપ્તિ વિષે સંદેહયુક્ત બની ગઈ અને મેદસમાપન એટલે પિતાની માન્યતાને નાશ થયેલ છે તેમ માની ઢીલી બની ગઈ. તેના મનમાં એમ થયું કે મલ્લીકુમારીએ મને જે કંઈ કહ્યું છે તેના જવાબમાં હું કઈ પણ વાત રજુ કરીશ તે તે સાચી , હશે કે કેમ ? આ જાતની મુંઝવણથી ચીક્ષાનું મન શંકાશીલ બન્યું. જે મારો જવાબ બરાબર નહિ હોય તો બીજે શું જવાબ આપીશ? આ પ્રમાણે તે જવાબને વિષે વાંછાયુક્ત થઈ ગઈ મલીકુમારીને હું જવાબ આપીશ તે તેને મારા : જવાબ ઉપર વિશ્વાસ બેસશે કે કેમ ? આ રીતે તે વિચિકિત્સા યુક્ત થઈ ગઈ. આ પરિસ્થિતિમાં મારે શું કરવું? આવા વિવેકની શક્તિ પણ તેની ખતમ થઈ ગઈ હતી. તેથી તે આકુળ વ્યાકુળ થઈને ભેદ સમાપન્ન બની ગઈ હતી. તેથી તે • મલીકુમારીને જવાબમાં કંઈ પણ કહી શકી નહિ. તે સાવ મુંગી થઈને બેસી રહી. બંધુઓ ! ઘણી વખત માણસને સમજાય છે કે મેં જે નાડું પકડ્યું છે તે ખે છે. પણ અભિમાનને કારણે મૂકાતું નથી. ચક્ષા પરિત્રાજિકાની પણ એવી સ્થિતિ થઈ. એના મનમાં થયું કે આ કહે છે તે સાચું કે હું કહું છું તે સાચું ? એ શુદ્ધિને જે અર્થ કરે છે તે સાચો કે હું કરું છું તે સાચો ? એ વિચાર થયો ને મલીકુમારીની વાત તેને સાચી પણ લાગી હશે પણ માન મૂકાતું નથી. આથી ચીક્ષા મૌન થઈ ગઈ. મલીકુમારી તેને સામેથી કંઈ કહે તેમ નથી. એ તે “સાગર વર ગંભીર” ભાવિના તીર્થકર ભગવંત છે એટલે સાગરની જેમ ગંભીર હતા. તેઓ તે મૌન બેસી રહ્યા પણ તેમની દાસીએથી રહેવાયું નહિ. . "तए णं तं चक्खं मल्लीए बहुयाओदास चेडीओ निंदति. खिंसति गरिहंति।" . ગમે તેમ તે ય દાસીઓ તે ઓછું પાત્ર કહેવાયને ! તેમનામાં મલીકુમારી જેટલી ગંભીરતા ન હોય. એટલે તે મલ્લીકુમારીની દાસીઓ તેની હલણા કરવા લાગી કંઈક મનથી નિંદા કરવા લાગી ને કંઈક વચન વડે બિસતિ એટલે નિંદા કરવા લાગી. હે ચોક્ષા પરિપત્રાજિકા! તું માટે ધર્મને ધ્વજ ફરકાવવા નીકળી છું. સંસાર ત્યાગીને પરિત્રાજિકા બનીને બેઠી છું. તે કેમ કંઈ બોલતી નથી. અમારા મલીકુમારીએ તને જે કંઈ સમજાવ્યું તેને જવાબ પણ કેમ આપતી નથી ? તું બહાર તે ધર્મની બડી બડી વાત કરે છે. કંઈક ભેળા શ્રીસંતે અને સાર્થવાહને ધર્મની મોટી મોટી વાત કરીને ભમાવી દીધા છે. જે તારામાં સાચું જ્ઞાન હોય અને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy