SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર જહદી જમાં. પ્રદ્યુમ્નકુમારે કહ્યું કે માતા ! તારે મને જમાડવો હોય તે પૂરે જમાડજે. કારણ કે મારે નિયમ છે કે એક ઘેર ભેજન કરવા જવું. ત્યાં મળી જાય તે જમવું નહિતર ઉપવાસ કર. પણ બીજે ઘેર જવું નહિ. ત્યારે સત્યભામાએ કહ્યું વિપ્રકુમાર ! તું એવું શા માટે બોલે છે? આ કંઈ સામાન્ય ઘર નથી. અહીં તે મોટાં મેટાં હાથીઓનાં પેટ ભરાઈ જાય છે. તે એક માણસનું પેટ નહિ ભરાય ! તમે ખાઈ ખાઈને કેટલું ખાવાના છે? મારા ઘેર પુષ્કળ રસોઈ છે. તમે વિના સંકેચે પિટ ભરીને જમે. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તે હવે તમે મને પીરસવા માંડી ને હું જમવા માંડું. હવે પ્રદ્યુમકુમાર જમવા બેસશે ને ત્યાં કેવું ધાંધલ મચશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૯૪. આસો વદ ૬ ને બુધવાર તા. ૧૩-૧૦-૭૬ સર્વજ્ઞ, સર્વદશ, વીતરાગ પ્રભુ અનંતકાળથી મેહનિદ્રામાં પહેલા અને જાગૃત કરતાં કહે છે કે હે ભવ્ય જીવો ! અનંતકાળથી જીવને સંસારમાં રઝળવનાર હેયરતે પાંચ કારણ છે. મિથ્યાત્વ, અવત, પ્રમાદ, કષાય, વેગ આ પાંચ કારણેમાં સૌથી પહેલું મિથ્યાત્વ છે. મિથ્યાત્વ ટળે તે સમક્તિ આવે. સમક્તિ આવે એટલે વિતરંગવાણી ઉપર શ્રધ્ધા થાય. રૂચી થાયઃ મિથ્યાત્વ એ જીવને સાચી વસ્તુનું યથાર્થ ભાન થવા દેતું નથી. સત્ય સ્વરૂપનું ભાન થતાં જીવ અવત, પ્રમાદ, કષાય અને અશુગને ટાળવા માટે પ્રયત્ન કરે. સમક્તિ પામ્યા પછી પણ અવતમાંથી વ્રતમાં આવ્યા વિનાં નવાં-કર્મો અટકતાં નથી. નવા કર્મોનું આગમન કરાવનારે અવત આશ્રવ છે. પાંચ ઈન્દ્રિઓના વિષયમાં પડેલ પ્રાણીને આશ્રવનું ઘર ગમે છે અને એ વિષયે એડવા ગમતાં નથી. વિષય સુખને સ્વાદ મ છૂટે તે આશ્રવ ક્યાંથી છૂટે? જ્ઞાની પુરૂષ કહે છે કે એક એક ઈન્દ્રિયને વશ થયેલાં પ્રાણી ઓ પણ પ્રાણને ગુમાવી દે છે. તે જે પ્રાણીઓ પાંચેય ઈન્દ્રિઓને વશ થયેલાં છે તેમની શી દશા થશે ?' પાંચ ઈન્દ્રિઓમાંથી એકેક ઈન્દ્રિયને આધીન થનારની દશા કેવી થઈ છે તે સૂત્રકાર બતાવે છે. " सद्देसु जो गिधिमुवेइ तिव्वं, अकालियं पावइ से विणास । RIGરે રિમિવિમુશ્કે, સદે ગતિને મુવેરૂ મg | ઉ. અ. ૩૨-૭ શબ્દાદિ વિષયમાં જે તીવ્ર વૃધિ-આસક્તિ સેવે છે તે અકાળે વિનાશને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy