SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર છે, સારી કમાણ થતાં બારેબાર લગ્ન કરે છે, માતાપિતા તે દીકરાની કમાણી ઉપર સુખ મેળવવાની આશામાં દિવસો વિતાવે છે. માતાને તે કેડ છે કે મારે વહુ આવશે. પણ પુત્રના કાંઈ સમાચાર નથી આવતા, ત્યારે મા-બાપ ખૂબ રડે છે. લોકે કહે છે બાપા! તમારો દીકરે વકીલ બની ગયું છે લગ્ન પણ કરી લીધા છે. તે મહાન સુખી બની લહેર કરે છે. તમે શા માટે ગુરે છે ! હું એમ છે! છેવટે બાપ દિકરાના ગામ જાય છે ને દીકરાની કેટે છે ત્યાં પહોંચે છે. જ્યાં બધાનાં બુટ પડયા છે ત્યાં બેઠા ને પુત્રની સામે પ્રેમભરી દષ્ટિથી એકીટશે જોવા લાગ્યા. કેર્ટમાં તે ઘણું વકીલે ને અસીલે આવવા લાગ્યા. જજ સાહેબ પણ આવ્યા. પુત્ર ખુરશીમાં બેસીને વકીલાત કરે છે. પુત્રને જોઈને બાપનું હૈયું હરખાવા લાગ્યું. હમણાં મારે દીકરે બહાર આવશે ને ઘેર જશે ત્યારે મને સાથે લઈ જશે. વકીલે દરવાજા પાસે બાપને બેઠેલો જે, તેના મનમાં ખૂબ ક્રોધ આવી ગયો, પણ કેર્ટમાં કંઈ થોડું બોલાય ? મૌન રહ્યો. બે કલાક પછી કેર્ટમાં ભીડ ઓછી થઈ જજ સાહેબ તેમની ખુરશીમાં બેઠા હતાં. તેમની દષ્ટિ જુત્તા પાસે બેઠેલાં વૃધ્ધ ગરીબ તરફ ગઈ. તે તે ગરીબ માણસ મમતાભરી દષ્ટિથી એકીટશે પેલા વકીલ સામે જોઈ રહ્યો હતે. ને પ્રેમના કુવારા વહી રહ્યા હતા. આ વૃધ્ધને જોઈને જજે વકીલને પૂછયું- આ વૃદ્ધ માણસ કેણું છે? એને ચહેરે તમારા જેવું છે ને નેહભરી દ્રષ્ટિથી તમારા સામું જોયા કરે છે. જાણે તમારા પિતા હોય તે પ્રેમ ઉછળે છે. આ સાંભળીને વકીલનું મોટું પડી ગયું. તેણે કહ્યું સાહેબ ! એ મારો બાપ નથી. પણ મારા ગામને માણસ છે. અહાહા! સંસાર કે છે ! બાપને બાપ માનવામાં નાનપ લાગ્યું. પુત્રના શબ્દો સાંભળીને . વૃધ્ધ પિતાનું લોહી ઉકળી ગયું. દિલમાં ખૂબ આઘાત લાગ્યો. પુત્રને બિલકુલ ડર રાખ્યા વિના નીડરતાથી તેણે જજને કહ્યું- સાહેબ ! હું તેના ગામને માણસ છું. એટલું જ નહિ પણ એની માતાને માણસ છું. (હસાહસ) જુએ, બાપે કેવી બુદ્ધિ વાપરી ! એણે એમ ન કહ્યું કે હું એને બાપ છું પણ એની માતાને માણસ છું. બાપની વાત સાંભળીને જજ પણ સમજી ગયે કે આને બાપ છે પણ એને આવા ગરીબને બાપ કહેતાં શરમ આવે છે. જજ સાહેબે વકીલને કહ્યું કે જે માતા પિતાએ આટલું કષ્ટ વેઠી તમને ભણાવ્યા ને વકીલ બનાવ્યા. તેમને ઉપકાર ભૂલી ગયા જજની ટકેરથી ઠેકાણે આવેલી શાન" જે માતા પિતાને પણ ઉપકાર ભૂલશે તે કેર્ટમાં વકીલ બનીને બીજાને સાચે ન્યાય કેવી રીતે આપશે ? આ રીતે જજ સાહેબે વકીલને ખૂબ ફટકાર્યા. ન્યાયી જજસાહેબની કેરથી પુત્રના અના . મતીયા ખસી ગયા ને પિતાને ભેટી પડે. ચરણમાં પડીને પિતાની ભૂલની માફી.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy