SearchBrowseAboutContactDonate
Page Preview
Page 844
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર નગરીમાં પ્રવેશ કરી શકે. એટલે સુવર્ણકારોએ આ પ્રમાણે કર્યું. રાજાના ચરણમાં નમસ્કાર કરી ભેટ ધરીને પછી તેમણે આ પ્રમાણે મહારાજાને કહ્યું. "अम्हेण सामी! मिहिलाओ नयरीओ कुभएण रन्ना निम्चिसयो आणत्ता समाणा इह हव्यमागता, त इच्छामा ण सामी तुभ बाहुच्छाया परिग्गहियाओ निम्भिया નિવિભા પુi gવર ફા” હે સ્વામીન્ ! કુંભક રાજાએ અમને મિથિલા નગરીથી દેશનિકાલ કર્યા છે તેથી અમે નિર્વાસિત થઈને અહીં આવ્યા છીએ. તેથી હે સ્વામીન ! આપની બાહુછાયાના આશ્રયમાં અમે લેકે નિર્ભય અને નિરૂદ્વિગ્ન થઈને શાંતિથી સુખેથી અહીં રહેવા ઈચ્છીએ છીએ. સુવર્ણકારોએ શંખરાજાને આ પ્રમાણે કહ્યું ત્યારે શંખરાજાએ વિચાર કર્યો કે આવા મોટા કુંભક રાજાએ જ્યારે આ લેકેને દેશનિકાલ કર્યા છે તે શા માટે કર્યા છે? તે મારે જાણવું જોઈએ. જાણ્યા પહેલાં મારે ગમે તેવા માણસેને મારી નગરીમાં પિસવા દેવા જોઈએ નહિ. આ પ્રસંગ બને ત્યારે રાજાઓની પણ ફરજ છે કે તેની બરાબર ચકાસણી કરવી જોઈએ. જે ખરાબ માણસો રાજ્યમાં પેસી જાય તે નગરીમાં સડે પેસે એટલે તેમનું આપેલું ભંટણું સ્વીકારીને તેમની વિનંતી સાંભળીને કાશી દેશાધિપતિ શંખરાજાએ તેમને આ પ્રમાણે કહ્યું “જિન્ને તુ હેવાળિયા મi ના નિત્રિસવા શાળા ” હે દેવાનુપ્રિયે! તમને કુંભક રાજાએ શા કારણથી મિથિલા નગરીની બહાર જતા રહેવાની આજ્ઞા આપી છે ? તમે એ શું ગુન્હ કર્યો કે તમને કુંભક રાજાએ દેશનિકાલની આજ્ઞા કરી? સોનીએાએ શંખરાજાને આ પ્રમાણે કહ્યું સ્વામીન ! પ્રભાવતી રાણુના ગર્ભથી જન્મેલી કુંભક રાજાની પુત્રી મલ્લીકુમારીના બે કુંડલેને સાંધે તૂટી ગયે તેથી કુંભક રાજાએ અમને બધાં સોનીઓને બોલાવ્યા અને કુંડળોની સંધી જોડી આપવાની આજ્ઞા કરી. એટલે અમે તે કુંડળીને લઈને તેને સાંધવા માટે ઘણાં પ્રયત્ન કર્યા પણ તે કુંડલો હતાં તેવા અમે કરી શક્યા નહિ. તેથી અમે તેનાં જેવા બીજા કુંડેલે ઘડી આપવા માટે રાજાને વિનંતી કરી અમારી આ વાત સાંભળીને રાજા અમારા ઉપર ક્રોધે ભરાયાં ને અમને દેશનિકાલ કર્યા. સોની પ્રમાણિક હતાં. માટે બધી સત્ય હકીકત કહી. આ વાત સાંભળી શંખરાજાના મનમાં થયું કે આ ખાસ ગુન્હો નથી. સોનીઓને મારા રાજ્યમાં આશ્રય આપવામાં વાંધો નથી. એમ જાણીને શંખરાજાએ બધા સોનીએાને પિતાના દેશમાં ખુશીથી રહેવાની પરવાનગી આપી. સોનીઓની વાત સાંભળીને શંખરાજાએ તેમને કહ્યું કે હે દેવાનુપ્રિયે! તમે જ મલ્લીકુમારીનાં કુંડળ સાંધી શક્યા નહિ તે કુંડળની પહેરનારી મલ્લીકુમારી કેવી છે? જવાબમાં સોનીઓએ શંખરાજાને કહ્યું કે સાહેબ! એ મલ્લીકુમારીના રૂપગુણની
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy