SearchBrowseAboutContactDonate
Page Preview
Page 809
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર . જ્યાં સુધી દીપક જલી રહ્યો છે ત્યાં સુધી તેમાં નવું તેલ પૂરી દે. દીપક બૂઝાઈ ગયા પછી અંધકારમાં તમે ક્યાં તેલ શોધવા જશે અને કેવી રીતે તેલ પૂરીને દીપક પ્રગટાવશે? કલેકના બીજા પદમાં થારનું ઉદાહરણ આપીને જ્ઞાનીઓ સમજાવે છે કે ચોર તમારું ધન ચોરી ગયા પછી તમાશ જાગવાથી કે સાવધાન રહેવાથી શું લાભ? તે રીતે આત્મા માટે જ્ઞાનીઓ સમજાવે છે કે જ્યાં સુધી તમારું રત્નત્રય જ્ઞાન-દર્શન–ચારિત્ર રૂપી ધન સુરક્ષિત છે ત્યાં સુધી તમે જાગતા રહે અને તેને લાભ લઈ લે. જે ઈન્દ્રિઓની સહાયતાથી કામરૂપી ચાર એ ધન ચોરી જશે તે પાછળથી પસ્તા કરવાનો રહેશે. બંધુઓ ! કેટલા પુણ્યથી માનવભવ મળે છે તેને વિચાર કરે. આ મનુષ્યભવ હેજે માન્ય નથી. મહાન મુશ્કેલીઓ વેઠયા પછી મળે છે. માનવભવમાં આવતાં પહેલાં જીવે કેટલા દુઃખ વેઠયા છે તે જાણે છે? “ના”. તે સાંભળો. જ્ઞાનીઓ કહે છે કે હે જીવ! તું સર્વ પ્રથમ તે અનંતકાળ સુધી નિગોદમાં રહ્યો. ત્યાં એક શ્વાસોચ્છવાસમાં સત્તર વખત જન્મ અને સત્તર વખત મરણ કર્યા. ત્યાર પછી ત્યાંથી છૂટયા તે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિકાયમાં સૂક્ષમ અને બાદરપણે અસંખ્યાત કાળ વ્યતીત કરે પડ. પછી પુર્યોદયથી ત્રસકાયમાં આવ્યા. ત્યાં વિકસેન્દ્રિય બની વિવિધ પ્રકારનાં કષ્ટ વેઠયા. આ રીતે પાંચ ઈન્દ્રિઓની પ્રાપ્તિ કરવા પહેલાં તારી કેવી કરૂણાજનક સ્થિતિ હતી તેને વિચાર કર. વિલેન્દ્રિયમાંથી તું આગળ વધ્યો ને પાંચ ઈન્દ્રિઓ પ્રાપ્ત કરી. પાંચ ઈન્દ્રિ મળી એટલે તું સુખી બની ગયો તેમ ન માની લઈશ. પાંચ ઈન્દ્રિઓ મળી પણ મન ન મળ્યું ત્યાં સુધી તું અસંજ્ઞી કહેવાય. તેને કંઈ વિચાર, ચિંતન કે મનન કરવાની શક્તિ ન હતી. જેમ તેમ કરીને આગળ વધે ને મન પણ મળી ગયું. અને સંજ્ઞી તિર્યંચ બન્યું. પણ ત્યાં તું નિર્બળ બન્યું એટલે હિંસક બળવાન પશુઓએ તને મારી નાંખે. અને ક્યારેક આ જીવે પણ સ્વયં ક્રૂર હિંસક પશુ બનીને બીજા નિર્બળ પશુઓને મારીને પાપ ઉપાર્જન કર્યું. તેનું ફળ ભોગવવા માટે નરકમાં ગયા. ત્યાં ભયંકર કષ્ટ વેઠયા. ત્યાંથી નીકળીને ફરી પશુઓની ની પ્રાપ્ત કરી. ત્યાં વધ, બંધન, ભારવહન, ભૂખ, તરસ, ઠંડી ગરમી વિગેરે મૂંગા બનીને પરાધીનપણે સહન કરી. તેમાં કેણ જાણે કેટલે સમય વ્યતીત થઈ ગયે. આટલું કષ્ટ વેઠયાં પછી માનવભવ મળે. . બંધુઓ ! માનવભવ મળી ગયો એટલે ન્યાલ થઈ ગયા તેમ સમજવાનું નથી. કંઈક છે અશાતા વેદનીય આદિ કર્મોના ઉદયથી કંઈક છે જન્મથી ગી શરીર પામે છે. કંઈક છ લલા, લંગડા, બહેરા, અંધ બનીને દુઃખ વેઠે છે. ક્યારેક અંગોપાંગ સારા હોય છે તે તેમનું આયુષ્ય ટૂંકું હોય છે. કદાચ શરીર
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy