SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ચિંતામણું રત્ન મેળવવા માટે મનુષ્ય જેટલી મહેનત કરે છે તેનાથી અનંતગણું મહેનત મનુષ્યપણુમાં ધશ્રધ્ધા લાવવા માટે કરવી જોઈએ. ઈન્દ્રની અને ચકવર્તીની પદવી મળવી સહેલી છે પણ જિનેશ્વર પ્રભુનું શાસન અને વીતરાગવાણીનું શ્રવણ મુશ્કેલ છે. કેટલા રોલમાંથી પસાર થયા ત્યારે આ મનુષ્યભવ મળે છે. ખૂબ વિચાર કરશે તે સમજાશે કે આપણે મનુષ્યભવમાં કેટલા ઉંચા હોદ્દા પર છીએ. જેટલા ઉંચા ચઢયા તેટલી સાવચેતી નહિ રાખીએ તે જોરથી પછડાવાના, મહામુશ્કેલીએ ચઢી ગયા પણ પડી ન જવાય તેની સાવચેતી રાખો. ચિંતામણું રત્ન સમાન ઉત્તમ માનવભવ મળ્યો છે. તે હવે ભાગ્યમાં હશે તે ધર્મ થશે એવા ભાગ્યના ભરોસે ના રહેશે. માતા રસોઈ બનાવીને ભાણું પીરસી દે પણ ચાવીને ગળેથી નીચે તે પિતાને ઉતારવું પડે છે. મહાન ભાગ્યથી મનુષ્યભવ મને પણ હવે આગળ વધવા માટે આપણે પુરૂષાર્થ કરવા પડશે. જુઓ, એક ન્યાય આપીને સમજાવું. એક માણસ જાંબુના ઝાડ નીચે સૂતે છે. ત્યાં ઉપરથી એક જાંબુ તેની છાતી ઉપર પડયું. તે વખતે ખેતરની પેલી બાજુ એક ઊંટવાળે જાય છે તેને બૂમ મારીને બાલાવ્યું. ત્યારે ઊંટવાળે પાસે આવીને કહે છે કેમ ભાઈ! શું કામ છે? ત્યારે કહે છે આ મારી છાતી ઉપર જાંબુ પડયું છે તે મારા મેંમાં મૂકને? ત્યારે પેલે ઊંટવાળો કહે છે આળસુનો પીર! તને મૂકતાં બળ પડ્યું ? મારે ઊંટ ઉપરથી ઉતરવું પડયું. ઊંટને વગર ભરેસે ત્યાં મૂકવું પડયું ? ત્યારે પેલો કહે છે ભાઈ! મારા હાથે ને પગે મેંદી મૂકી છે. ભગવાન કહે છે જ્યાં સુધી આપણે આપણી જાતે ઉદ્યમ કરી શકીએ તેમ છીએ તે ભાગ્યને ભરોસો શા માટે રાખવે? ભાગ્યના ભરોસે ન રહેતાં ધર્મરત્નની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરે. દેવાનુપ્રિયા ધર્મથી સુખ મળે છે ને પાપથી દુઃખ મળે છે. જે પૂર્વે ધર્મ કરીને આવ્યા છે તે સુખી છે, અને જેમણે પૂર્વે ધર્મની કમાણી નથી કરી તે બિચારા કર્મના ઉદયથી દુઃખી છે. આજે તમે ઓછી મહેનતે લીલાલહેર કરે છે ને કંઈક બિચારા આખો દિવસ કાળી મજુરી કરે તે પણ પેટ પૂરતું મળતું નથી. તમારે બબે જે માંગે તે તરત હાજર થાય છે ને ગરીબને દીકરે એક નાનકડી ચીજ માટે કેટલું રડે છે તે પણ મળતી નથી. આ બધે શેને પ્રભાવ છેઃ “તે વિચાર કરે. અહીં ચરેતરની બનેલી કહાની યાદ આવે છે. શ્રીમતેની શ્રીમંતાઈને ઉદ્ધતાઈ :”—ચરેતરના એક ગામમાં એક શ્રીમંત પટેલને માટે બંગલ હતું. તેની બાજુમાં એક ગરીબનું ઘર હતું. એ ગરીબ માણસ કારકુનની નોકરી કરતા હતા. પતિ-પત્ની અને એક બાળક એ ત્રણ માણસનું કુટુંબ હતું. મહિને પચાસ રૂપિયાના પગારમાં ગુજરાન ચલાવતાં હતાં. બાજુમાં શેઠને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy