SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ શારદા શિખર આપણા વડીલને પ્રશ્ન પૂછવા હાય અગર કાઈ વાત કરવી હોય ત્યારે તેમની પાસે જઈ નમ્રતાપૂર્વક વાત કરવી જોઈ એ. પ્રભાવતીદેવીએ પાતાના પતિ કુ ંભરાજા પાસે આવીને વિનયથી નમ્રતાપૂર્વક મધુર સ્વરે ચૌદ સ્વપ્ના જોયાંની વાત કરી. આ સાંભળી રાજાને અલૌકિક આનંદ થયા ને પ્રસન્નતાપૂર્વક ખેલ્યા. અહા રાણીજી! તમે જે ચૌદ સ્વપ્ના જોયા તે ઘણાં ઉત્તમ છે. તેનુ ફળ પણુ અલૌકિક છે. તમારી કુક્ષીએ તી કર પ્રભુના જન્મ થશે. આગળના રાજાએ પવિત્ર હતા. તેમાં પણ જેએ તીર્થંકરના પિતા હાય એ તે ખૂબ પવિત્ર આત્મા હૈાય છે. એટલે તેમની બુધ્ધિ પણ નિર્મળ હોય છે. તે અનુસાર પોતે અનુમાનથી આ સ્વપ્નનું આવું ફળ હશે તેમ કહ્યુ'. પતિના મુખેથી આ વાત સાંભળી રાણીને અત્યંત આનંદ થયા. સાથે રાજાને પણ આનદ થયા. તીર્થંકર પ્રભુના માતા-પિતા ખનવું તે અહાભાગ્ય છે. કુંભરાજા અને પ્રભાવતી રાણીને ખૂબ આનંદ થા. પણ સ્વપ્નાનું વિશેષ ફળ જાણવા માટે કુંભરાજાએ સ્વપ્ન પાઠકાને મેલાવ્યા. અધાં સ્વપ્નપાઠકે ભેગા થયાં ને તેમણે નક્કી કર્યું" કે આપણે રાજસભામાં જવું છે. રાજા પાસે જઈને સૌ સૌની મરજી મુજબ જુદા જુદા ઉત્તર આપીશુ તે તેમાં આપણી કિંમત ઘટશે. તેના કરતાં બધા વતી જે એક મુખ્ય ન્યાતિષી હોય તે જવાબ આપી દે. જેટલી એકતામાં મઝા છે તેટલી અલગતામાં નથી. એકલે માણસ માટુ' કાર્ય કરી શકતા નથી પણ અધા ભેગા થઈને કરે તેા સુ દર કાય કરી શકે છે. જેમ ઈંટ, માટી, સીમેન્ટ ને ચુના ભેગાં થાય તેા તેનાથી મોટી મજબૂત ઈમારત ઉભી કરી શકાય છે. પણ ઈંટ, સીમેન્ટ, ચુના, લાકડુ' બધા એમ કહે કે અમારે એકબીજામાં ભળવું નથી. અમારે તો સ્વતંત્ર રહેવુ છે તો એની કંઈ કિંમત ખરી ? એ ચીને સ્વતંત્ર રહે તો ઘર અને ? ના'. આ ઉપરથી તમને સમજાય છે ને કે જે સુખ એકતામાં છે તે અલગતામાં નથી. શેઠ અને ગુરખામાં કેટલી એકતા હતી તેનું દૃષ્ટાંત જાણવા જેવુ છે. એક મોટો કરોડપતિ શ્રીમંત હતો. તમે જાણેા છે ને કે મોટા શ્રીમંતોના બગલાની ચાકી કરવા માટે ગુરખા રાખવામાં આવે છે. આ શેઠને ત્યાં પણ એક ગુરખા હતો. શેઠ ધનવાન હતા તેમ ધવાન હતા. તે એકલા પૈસાને જ પરમેશ્વર માનીને મેસી જાય તેવા ન હતાં. અને શેઠ જેના પરિચયમાં આવતા તેને ધના રંગ લગાડતાં હતાં. શેઠના ઘરમાં રહીને એને! ગુરખા ધર્મ પામ્યા હતા. સામાયિકપ્રતિક્રમણ કરવું, તિથિના દિવસે ઉપવાસ કરવા, રેાજ નવકારશી કરવી, રાત્રીભાજનને ને કંદમૂળના ત્યાગ આદિ ઘણાં નિયમાનું તે પાલન કરતા હતા. એનામાં ખાનદાની ખૂબ હતી. આ ગુરખા તેના ગુણથી શેઠને ખૂબ પ્રિય થયા હતા. તે છે આજ્ઞાપાલનના પ્રતાપ.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy