SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪) શારદા શિખર તેમણે પાતે હારી ગયાની વાત એના પિતાને કરી. તેથી તેના પિતા બંને પુત્રો ઉપર ખૂખ ગુસ્સે થયા ને ખાલ્યા. હું દુષ્ટ ! મેં તમને ભણાવવા માટે કેટલું ધન ખરચ્યુ છે. મેં કેટલેા ભોગ આપીને તમને ભણાવ્યા છે. તમે હારીને તમારુ કાળું માઢું શું જોઈને મને ખતાવવા આવ્યા છે ? મને તમારું માઢું જોતાં શરમ આવે છે. જ્યારે તમે શાસ્ત્રવિદ્યામાં હારી ગયા તેા શસ્ત્રવિદ્યાથી તે તેને જીતવા હતા ? આ અને પુત્રોને પિતાની વાત સાચી લાગી. ખરેખર! એ સાધુએ આપણને હરાવીને આપણું ઘાર અપમાન કર્યુ છે. માટે તેમને કોઈ પશુ રીતે મારી નાંખવાં. એવે નિષ્ણુ ય કરીને નિરપરાધી સાધુઓની હત્યા કરવાની ચેાજના ઘડવા માંડી. ગુરૂએ આપેલા આદેશ સત્યભૂતિ મુનિ બ્રાહ્મણોને હરાવીને હ ભેર ગુરૂ પાસે કહેવા માટે આવ્યા પણ ગુરૂ જ્ઞાની હતા. સત્યશ્રુતિ મુનિ બ્રાહ્મણો સાથે વાદવિવાદ કરીને કેવી રીતે જીત્યા તે વાત જાણતાં હતાં. તેથી ગુરૂએ પાતાના જ્ઞાન દ્વારા જાણીને કહી દીધું' કે હું શિષ્ય ! તમે એ ઘમંડી બ્રાહ્મણો સાથે વિવાદ કરીને સારું કર્યું" નથી. તે બંને જણા મહાન પાપી છે. તેઓ તમારી પાસેથી હારીને ઘેર ગયા એટલે તેના પિતાએ તેમને ખૂબ ઠપકો આપ્યો છે ને તેમના તિરસ્કાર કર્યા છે. તેથી તેઓ આજે રાત્રે અહીં આવીને સાધુઓને શસ્ર દ્વારા મારી નાંખશે. આ સાંભળી સત્યભૂતિ મુનિ ધ્રુજી ઉઠ્યા. આંખમાં આંસુ આવી ગયા ને ગુરૂદેવના ચરણમાં પડીને કહ્યુ-ગુરૂદેવ! આપ મને એવા કાઈ ઉપાય અતાવા કે જેથી અમે આ ઉપસગ થી ખચી જઈએ. ત્યારે ગુરૂએ કહ્યું હે શિષ્ય તમે જે સ્થળે બ્રાહ્મણોની સાથે વાદવિવાદ કર્યાં હતા તે સ્થળે આજે સાંજે તમે જાઓ. અને શકેન્દ્રજીની આજ્ઞા લઈને તમે ત્યાં ધ્યાનમાં લીન ખનીને ઉભા રહેજો. તે ત્યાં તમારું અને ચતુર્વિધ સંઘનુ કલ્યાણ થશે. ગુરૂની આજ્ઞા થવાથી સત્યશ્રુતિ મુનિ જે સ્થળે ચર્ચા કરી હતી તે સ્થળે સંધ્યા સમયે જઇને કાઉસગ્ગ ધ્યાનમાં લીન બન્યા. અને બ્રાહ્મણ પુત્રો મધ્યરાત્રે તલવાર, છરા આદિ હિંસક શસ્ત્રો લઈને મુનિઓને મારવા જતાં હતાં. ત્યાં માગ માં સત્યભૂતિ સુનિ ધ્યાનમાં ઉભેલા જોયા. તેથી ઉશ્કેરાટથી મેલ્યા. આ દુષ્ટ સાધુડાએ આપણને આ સ્થળે હરાવ્યા છે. અને આપણને લેાકેાની વચમાં હલકા પાડી આપણું અપમાન કર્યુ. છે. ખસ, એ પાપીને મારે. એમ કહીને સાધુને મારવા માટે હાથમાં તલવાર લઈ જ્યાં મારવા જાય છે ત્યાં તે ક્ષેત્રના રક્ષક દેવ પ્રગટ થયા ને મુનિની રક્ષા કરી. પણ મુનિ તા ધ્યાનમાં મસ્ત છે. તેમને કંઈ ખબર નથી. ક્ષેત્રપાળ દેવે પેલા અને બ્રાહ્મણ પુત્રોને ત્યાં સ્થભિત કરી દીધા. આવા પવિત્ર સતાના માથે સટ આવે છે ત્યારે ડૅવાના આસન ચલાયમાન થાય છે.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy