SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૫ થા શિખર શિડ્યા બાદ રાજ” આ પૃથ્વી ઉપર દાન એ સર્વોત્તમ કાર્ય છે. પણ લક્ષ્મીના લેબી બનીને માત્ર તેને સંગ્રહ કરે તે કંઈ શ્રેષ્ઠ કાર્ય નથી. આજે માણસ ધન સંગ્રહ કરવામાં માનવજીવનની મહત્તા માને છે. એ એમ સમજે છે કે પાસે પૈસે હશે તે સમાજમાં અને પ્રતિષ્ઠા મળશે. સી મને ખમ્મા ખમ્મા કરશે. અરે, આવા પર્યુષણ પર્વના દિવસોમાં ઉપાશ્રયમાં જઈશ તે મને આવો શેઠજી કહી સંઘના શેઠીયાઓ આગળ બેસાડશે. (હસાહસ) ઘરમાં પણ સૌ મને ખમ્મા ખમ્મા કરશે. પણ પૈસા નહિ હોય તે કઈ મને નહિ પૂછે. બંધુઓ ! હું તમને પૂછું છું કે શું આ પૈસાથી મેળવેલી પ્રતિષ્ઠા, પદવી, માન અને આદર સત્કાર તમારી સાથે આવશે ? અરે..અહીં પણ ખરા દુઃખ વખતે કામ આવશે ? પૈસો-પત્ની-પદવી અને પ્રતિષ્ઠા કેઈ આત્માને સાથ આપનાર નથી. અહીં એક દષ્ટાંત યાદ આવે છે. : 'એક શ્રીમંત શેઠ હતા. તેમની પાસે ધન ઘણું હતું. છતાં તેમની તૃષ્ણા શાંત થતી નહતી. માનવીનું મન જ્યારે તૃષ્ણામાં જોડાય છે ત્યારે ગમે તેટલું ધન મળે તે પણું લોભી માણસ અતૃપ્ત રહે છે. તે રીતે આ શેઠ પણ ઘણી મીક્ત મળવા છતાં સંતેષના ઘરમાં આવી શક્યા નહિ. જ્યાં લોભ છે ત્યાં ચારે કષાયો ઓછા વધતા અંશે વર્તતી હોય છે. તે રીતે આ શેઠને લાભની સાથે માનનું પ્રબળ જેર વયું. અને એક તૃણું જાગી કે કેઈએ ન મેળવ્યું હોય તેવું મેળવું ને મારું નામ અમર બનાવું. નાશવંત ધનમાં નામ અમર બનાવવાના કેડ સેવતા શેઠને ખ્યાલ નથી કે નામનો પણ નાશ છે ને ધનનો પણ નાશ છે. કુદરતને કરવું શેઠની તૃષ્ણામાં ધને વધારે કર્યો ને તેની તૃષ્ણનો અંત આવવાનો પ્રસંગ આવ્યું. પણ એની તૃષ્ણામાં એક ધ્યેય હતો કે હું કરેડપતિ બનું. અને તે કેડ સેવતા શેઠ કરેડના બારણુ સુધી પહોંચી ગયા. એવા પ્રસંગમાં એક જ્યોતિષી આવ્યા. તે જતિષી કહેશેઠ! તમે કરોડપતિ બનવાના સ્વપ્ના સેવી રહ્યા છે. પણ એ પૂર્ણ થતાં પહેલાં તમારા માથા ઉપર એક આફતની વાદળી ઘેરાઈ રહેલી છે અને તમારું મૃત્યુ સાત વારની અંદર થવાને સંભવ છે. આ શબ્દો સાંભળતાં શેઠના હોશકોશ ઉડી ગયા. અહાહા....શું મારું મૃત્યુ થઈ જશે? શું હું મરી જઈશ? દેવાનુપ્રિયે ! અહીં તમને સમજાય છે કે મૃત્યુનો જીવને કેટલે ભય છે? મરણનું નામ સાંભળતાં શેઠની આંખે મોતીયા વળી ગયા. જ્ઞાનીએ કહ્યું છે કે જો ગોવાવિ ફૂછરિત, કવિ ર મરિવુંકઈ પણ જીવ કીડી-મંકડાથી માંડીને મનુષ્ય સુધી સર્વ જી જીવવાને ઈચ્છે છે. દરેકને જીવવું વહાલું છે. કેઈમરવાને ઈછતા નથી. આ રીતે શેઠને પણ જીવન ગમે છે. મૃત્યુનું નામ સાંભળતાં ધ્રુજી ઉઠેલા શેઠ ઘેર જઈને સૂઈ ગયા, શેઠાણી પૂછે છે
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy