SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર અંગે અંગે ભોંકાયા છે, પિતાના આજ પરાયા છે, આ બધી કરમની માયા છે, પાપ કરેલા પ્રગટે જ્યારે, ત્યારે રાવું શા માટે જે વાવ્યું તે.. અંજ્ઞાન અવસ્થામાં કર્મ તે બંધાઈ ગયા પણ હવે આ વીતરાગ શાસન મળ્યું. વીતરાગ વાણી સાંભળવા મળી તે સાંભળીને સ્વરૂપમાં કરે. કર્મ દરેકને ઉદયમાં આવે છે. પણ એને ભગવતી વખતે સમજણમાં ફરક હોય છે. ભલે હેય જ્ઞાની કે અજ્ઞાની જન, કમ રહિત ન કઈ જ્ઞાની વેદે બૈર્યથી, અજ્ઞાની વેદે રેઈ રાજા હોય કે રંક હોય કે સાધુ હોય દરેકને કર્મને ઉદય થાય છે. પણ જ્ઞાની ક્ષણે ક્ષણે એ વિચાર કરે કે તારા બાંધેલા તને ઉદયમાં આવ્યા છે. તેને ભેગવતાં આટલો બધો શેક શા માટે કરે છે ? સમતા ભાવે સહી લે તે એ ફળ આપીને ચાલ્યા જશે. તીર્થકરને પણ કમેં છોડયા નથી. પ્રભુ મહાવીરને સંગમે કેવા ઉપસર્ગો આપ્યા! આપણે બોલીએ છીએ કે સંગમે ભગવાનને કષ્ટ આપ્યા. પણ અંતર દષ્ટિથી વિચાર કરીએ તે જરૂર સમજાશે કે સંગમને કષ્ટ આપવાની બુદ્ધિ કયારે થઈ ? ભગવાનના કર્મ હતાં ત્યારે ને? ભગવાન ગૌચરી જાય ત્યારે સંગમ દેવ સૂઝતા આહાર પાણીને અસૂઝતા કરી નાંખે. વિહાર કરે ત્યારે જ્યાં એાછી રેતી હોય ત્યાં રેતીના ઢીંચણ સમા ઢગલા બનાવી દે. ચાલતા પગ ન ઊપડે. છતાં ભગવાને એમ નથી વિચાર્યું કે સંગમ ! તું આમ શા માટે કરે છે? એમણે તે એક જ વિચાર કર્યો કે મારા કરેલા કર્મો હું ભેગવું છું. કર્મના દેણાં ચૂકવાઈ રહ્યા છે. હસતે મુખડે કર્મના દેણાં ચૂકવી દઉં. એ વિચાર કરતા હતા. - કમબંધન તેડવાને અમૂલ્ય અવસર : બંધુઓ ! આપણામાં શક્તિ છે ત્યાં સુધી કર્મને કરજ ચૂકવી દેવાં છે. આ માનવ ભવમાં જે કરજ ચૂકવી શકાશે તે બીજે ક્યાંય નહિ ચૂકવાય. તેને ખાસ ખ્યાલ રાખજો. જુઓ, એક ન્યાય આપીને સમજાવું. જેમ કેઈ શેઠની પેઢી ધમધોકાર ચાલતી હોય તે વખતે લેણદાર દશ હજાર રૂપિયા માંગવા આવે તે તરત આપી શકે. પણ જે પેઢી નબળી પડે તે વખતે લેણદાર લેવા આવે તે શું થાય? કેટલીક વખત છતાં માલે પાટીયા ફેરવવા પડે છે. પાંચ લાખ હીરે પાસે પડે છે પણ તે લેનાર ઘરાક મળે જોઈ એ ને ? ઘરાક હોય ને મિલ્કત બરાબર હોય તે વખતે લેણદાર લેવા આવે તે પતાવવું સહેલું પડે. પણ જો એનાથી વિપરીત વાત હેય તે દેવાળું ફૂંકવું પડે છે ને ? તમે વિચાર કરે. આપણે આત્મા નરક, તિર્યંચ કે દેવગતિમાં ગમે ત્યાં કઈ દશા હતી? પાસે માલ ન હતું, પૈસા પણ ન હતા પણ કર્મરાજાનું દેવું કર્યું છે તે વાત
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy