SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ ઠ શાર્મા શિખર સાસુ-વહુના પ્રેમ તોડાવીને તેમના દિલમાં તડ પાડી હશે, કોઈની થાપણુ આળવી હશે, અરે....મે કેવા પાપ કર્યાં હશે એ તો સજ્ઞ ભગવંત જાણે છે. આ પ્રમાણે પોતાના પાપના પશ્ચાતાપ કરતી રૂક્ષ્મણી ચોધાર આંસુએ રડે છે. રૂક્ષ્મણીના મહેલમાં હાહાકાર મચી ગયા છે. રૂક્ષ્મણી ખૂબ ઝરે છે ત્યાં દાસીએ દોડતી જઈને કૃષ્ણ વાસુદેવને ખબર આપે છે. હવે કૃષ્ણ વાસુદેવ રૂક્ષ્મણી પાસે આવશે ને તેને કેવી રીતે આશ્વાસન આપશે તે ભાવ અવસરે કહેવાશે. KOY વ્યાખ્યાન ન ૪૩ શ્રાવણ વદ ૭ ને સેામવાર તા. ૧૬-૮-૭૨ અનંત કરૂણાનિધી શાસનસમ્રાટ વીર પ્રભુએ જગતના જીવાને કહ્યું કે હું અન્ય જીવા ! અનંતકાળથી સ`સાર અટવીમાં ભ્રમણ કરીને અનંત દુઃખ વેઠી રહ્યા છે તેનું મૂળ કારણ શું? જરા વિચાર કરો. જે મેળવવાનું હતુ' તે મેળળ્યું નથી અને જે નથી મેળવવાનું તેને મેળવવાને તમને તલસાટ જાગ્યા છે. શાસ્ત્રમાં કહ્યું છે કે. लभन्ति विमला लोए, लभन्ति सुर संपया । लभन्ति पुत्तमित्त च, एगो धम्मो न लब्भइ ॥ ભગવાન કહે છે હું ચેતન ! અન ́તકાળથી તે જે ચીજ નથી મેળવી તેને મેળવવા માટે તને આ મનુષ્યભવ મળ્યા છે. જેનાથી જન્મ-મરણનાં દુઃખ ટળે તેવી આત્માની ચીજ મેળવવી છે. આ ગાથામાં તમને એ વાત સમજાવવામાં આવી છે કે જંગતમાં દુર્લભ ચીજ કઈ છે ને સુલભ ચીજ કઈ છે ? તેની વિચારણા કરતાં જ્ઞાની ફરમાવે છે કે સંપત્તિ મળવી કે સ્વર્ગના સુખ મળવા દુલ ભ નથી. લાડી-વાડી-ગાડી અને બંગલા મળવા મુશ્કેલ છે ? ના. આના માટે તા કહ્યું છે કે હમત્તિ વિમજા હોપ પુણ્યના ઉદ્દયથી ભૌતિક ઉંચી સામગ્રી અનેક વાર મેળવી. માનવભવ મળ્યે તેમાં ઢાંગ્રેસ જેવી ધારાસભામાં ધારાસભાની સીટ અનેક વાર મેળવી, ભારતને વડાપ્રધાન પણ થઈ ચૂકયા હાઈશ, એટલુ જ નહિ પણ મોટા ચક્રવર્તિ સમ્રાટ પણ અન્યા હાઈશ, અદાલતમાં એક પ્રશ્ન ઉપર અસીલની પાસેથી એક મિનિટમાં હજારો રૂપિયા મેળવનાર એવા ધારાશાસ્ત્રી પણ થયા હ।ઈશ. આ જીવે પુણ્યના ઉદયથી ઈન્દ્રના સિહાસન પણ સર કર્યાને અહમેન્દ્રનુ પદ પણુ મેળળ્યુ. પુત્ર-પુત્રી અને મિત્રોને પરિવાર પણ મેળવ્યેા. ખેલેા, હવે શુ' ખાકી રહ્યું? માનવભવ ઘણીવાર મળ્યા પણ મેળવવાનું હતુ તે નથી મેળવ્યું. ભગવાન કહે છે અનેક વાર માનવભવ મળવા છતાં હજી તારા ભવ કેમ ના ઘટયા ? સંસારના અંત કેમ ના આવ્યા ? મુક્તિનું
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy