SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર રાત ગુમાવી સેય કે, દિવસ ગુમાયા ખાય, હીરા જન્મ અમોલ યહ, કેડી બદલે જાય. આ હીરા જેવા મનુષ્ય જન્મને કેડી જેવા કામભોગમાં. ખાવાપીવામાં ને ઉંધવામાં ગુમાવી રહ્યા છે ને? અનાદિકાળથી જે કામ ભાગમાં, વિષયના વિલાસમાં રસ લીધે છે. પણ આત્મશાંતિ, આત્મશુદ્ધિ, અને આત્મકલ્યાણના લક્ષે વીતરાગ વાણુનું શ્રવણ કરી તેમાં શ્રદ્ધા કરવામાં રસ લીધો છે ? ના. જીવની દશા શું થઈ છે ? વીતરાગ વાણી કેવી છે? “agi, નિધિમા, કુત્તિમાં, નાનામાં નિશ્વાળમજ શલ્યને કાપનારી છે. અનાદિકાળથી જીવને ત્રણ શલ્ય લાગેલા છે. માયાશલ્ય, નિયાણુશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય. આ ત્રણ શલ્યમાં સૌથી મોટું મિથ્યાદર્શન શલ્ય છે. તેના કારણે આત્મા ભાન ભૂલ્યો છે. તેથી પોતાના જ્ઞાનનો પ્રવાહ પિતાનામાં વાળવાને બદલે પરની પ્રાપ્તિમાં વાળી રહ્યો છે. અને જ્યાં સુખ, શાન્તિ અને સમાધિ નથી ત્યાં લેવાને માટે તનતોડ મહેનત કરી રહ્યો છે. જ્ઞાની કહે છે હે ભાન ભૂલેલા મુસાફર ! એક વખત તું તારા સ્વરૂપનું લક્ષ કરી લે તો તારી મહેનત મિથ્યા નહિ જાય. જે તને ભાન થશે કે સાચું સુખ મારામાં છે, મારી શાંતિનું કારણ હું છું તો તને જરૂર શાંતિ મળશે. પણ આત્મા પિતાના અવળા પુરૂષાર્થથી પરમાં ખોજ ચલાવે છે કારણ કે તેને પોતાની સ્થિતિનો ખ્યાલ નથી તેથી સંસાર સુખની સામગ્રી મેળવવા દેડાદોડ કરે છે. કારણ કે એને ધર્મ કરવાની સામગ્રીનું મહત્વ નથી સમજાયું. બેલે બચુભાઈ! તમે પુણ્યવાન કોને કહે છે ? (શ્રેતામાંથી અવાજ - જેને ઘેર પૈસો હોય તેને.) જેને ઘેર સંપત્તિનો સાગર હિલેળા મારતો હોય, જેના આંગણામાં ચાર ચાર કારે ખડી રહેતી હોય, ખુશામતિયા શેઠજી..શેઠજી કહી ખુશામત કરતા હોય તેને તમે પુણ્યવાન માને છે. ને તમે ધનમાં શાંતિ માનો છો પણ યાદ રાખો, પાપનો ઉદય જાગતાં પદાર્થો કે સાધનો શું તમને શાંતિ આપનાર બનશે ખરા ? ના. તે સમજે, આ માનવ જિંદગીની એકેક ક્ષણ કેહીનુર હીરા કરતાં પણ કિંમતી છે. જે અવસર જીવનમાંથી જાય છે તે ફરીને આવતા નથી. માની લો કેઈને એકને એક લાડીલે યુવાન પુત્ર મૃત્યુ પામે તે વખતે તેના માતા પિતા ફોનથી ડૉકટર બેલાવે ને કહે કે તમે એક કલાક પૂરત મારા દીકરાને જીવતો કરી દે તે શું ડેકટરની તાકાત છે? એક કલાક તે શું એક સેકન્ડ પણ મૃતકલેવરમાં પ્રાણને સંચાર કરાવવાની કોઈની તાકાત નથી. ખુદ પ્રભુ મહાવીર સ્વામી મોક્ષમાં જવાના હતા ત્યારે ઈદ્રોએ કહ્યું કે પ્રભુ ! બે ઘડી ખમી જાઓ. ભસ્મગ્રહ બેસે છે. ત્યારે ત્રિલેકીનાથ એવા પ્રભુએ કહી દીધું કે ન મૂર્તિા ૨ મવિષ્યતિ કદી બન્યું નથી ને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy