SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા નિખર ૪૧ સુમરાના શબ્દો સાંભળીને આહીરો ગભરાયા. તેમણે કહ્યું-સાહેબ ! આપ અમારા પિતા સમાન કહેવાઓ. આપ અમારા રક્ષણકર્તા છે. આપે આવી માંગણી ન કરાય. ત્યારે સુમરેા ક્રોધે ભરાઈને કહે છે આ રાણી તમારા તંબુમાં ના શેાલે, એ તા મારા રાજ્યમાં લે. જો તમે રાજીખુશીથી નહિ આપે તે હું જબરજસ્તીથી લઈ જઈશ. આ સાંભળીને ખધા આહીરા થરથર ધ્રુજવા લાગ્યા. જાહલના પતિએ અંદર આવીને વાત કરી. ત્યારે જાહુલે કહ્યું. સ્વામીનાથ ! મોટી આપત્તિ આવી. આપણે અહી થી ચાલ્યા ગયાં હાંત તે સારુ' થાત. જાહલ સતીએ હિંમત કરીને કહ્યું. તે દુષ્ટને મારી પાસે મેાકલો. આહીરે કહ્યું- અમારી રાણી તમને અંદર ખેલાવે છે. જેના રૂપમાં મુગ્ધ બન્યા છે તે શ્રી પાતાને અંદર ખાલાવે છે તે જાણીને તેને અત્યંત હષ થયા. તે અંદર ગયા. અશ્રુઓ! સતી સ્ત્રીએ પેાતાનું શીયળ સાચવવા માટે વચનથી અસત્ય ખેલવુ' પડે તે ખોલે છે પણ કાયાથી ને મનથી ભ્રષ્ટ થતી નથી. જાહલને અંદરથી ક્રોધનો પાર ન હતા. પણ ઉપરથી ક્રોધને શાંત કરી કૃત્રિમ પ્રેમ બતાવીને કહ્યું-મેં તમને જ્યારથી જોયા ત્યારથી મારું મન તમારામાં ચાંટયું ઝૂ ંપડીમાં રહી દુઃખ વેઠવા ગમતા નથી. રાજમહેલના સુખ કાને ન ખુશીથી તમારી રાણી બનવા તૈયાર છું. પણ મારી એક શરત છે. મેં અમારા ધર્મોના નિયમ પ્રમાણે છ મહિના બ્રહ્મચર્ય વ્રત પાળવું તેવી પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞા એવી આકરી છે કે મારે પુરૂષને તે શું પણ પુરૂષના કપડાને પણ સ્પર્શ કરાય નહિ. મારા આ વ્રતનો જો ભંગ થશે તેા જીપ કરડીને મરી જઈશ. પણ મારા વ્રતનું ખંડન નહિ કરુ.. જાહલના શબ્દોની સુમરા ઉપર સારી અસર થઈ. તેણે વિચાર કર્યો કે છ મહિના તા કાલે ચાલ્યા જશે. જો બળાત્કાર કરવા જઈશ તેા હાથમાં આવેલો હીરા ચાલ્યા જશે. એમ વિચાર કરીને કહ્યું ભલે, તમારી શરત મને મંજુર છે. છ મહિના પછી આવીશ. આહીરા છટકી ન જાય તે માટે રાજાએ તબુને ફરતા ચાકી પહેરા ગાઠવી દીધો. બધા આહીરા ચિંતામાં પડયા. જાહુલે કહ્યું છ મહિના માટે તા ચિંતા નથી. પણ તમારામાંથી કાઈ જુનાગઢ જાય અને મારા વીરા નવઘણને સમાચાર આપીને અહી લાવે તેા અહીંથી આપણેા છૂટકારા થાય. જો તે છ મહિનામાં નહિ આવે તે હું મારા પ્રાણનો ત્યાગ કરીશ પણ મારું શીયળ ખંડન થવા નહિ દુ, જાહલના પતિએ જુનાગઢ જવાનુ` માથે લીધું. ત્યારે જાહુલે વિગતવાર એક પુત્ર લખીને આપ્યા. જાહલનો પતિ ગુપ્ત રીતે ત્યાંથી જુનાગઢ જવા રવાના થયા. છે. મને આ ગમે ? હું ગઈ કાલે તે સમયે ગાડી મેાટરની સગવડ ન હતી. પગપાળા મુસાફરી કરવાની હતી. ક્યાં સિંધ અને કયાં સારડે ! છ મહિનામાં પાછા આવવાનુ` છે. વળી ચીથરેહાલ દશામાં મને નવઘણ ઓળખશે કે નહિ ? મારી વાત સાંભળશે કે નહિ ? તેની ચિંતા ૫૧
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy