SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર અભિમાન કયાં ગળી ગયું? આવા વચન વડીલે કહે તે સંભળાતા નથી. ત્યાં એમ થાય કે મને કહેનાર કોણ? હલકી જાતિના ઘરાક પાસેથી આવા વચન સાંભળો છો. પૈસા ખાતર અભિમાન ગળ્યું છે. આવું અભિમાન ગળવાથી મનુષ્યપણું નહિ મળે. સ્વાભાવિક રીતે અભિમાન ઓસરે તે મનુષ્ય પણું મળે છે. જ્યાં કોઈ માણસ પાણીમાંથી પિરા શેઠે તે બુદ્ધિમાન હોય તે પણ જ્યાં સ્વાર્થ હોય ત્યાં કહી દે છે કે હું ક્યુટ નહિ કરું. તે શું એ સરળ બની ગયે? “ના” એ સાચી સરળતા નથી. પણ એ સામી વ્યક્તિ પણ બુદ્ધિશાળી છે તેની સામે જે કપટ કરીશ તે પકડાઈ જઈશ એટલે ત્યાં સીધા ને સરળ બની જાઓ છે. બાકી અંદરથી કટ ગયું નથી. દેવાનુપ્રિયે ! લેભને પણ પાતળો પાડવો પડશે. લક્ષ્મી ત્રણ રીતે જાય છે. •“ન મોજો નારા” લક્ષ્મી દાનમાં વપરાય છે, ભોગમાં વપરાય છે. એ બેમાં ન વપરાય તે છેવટે નાશ તે થાય છે. તમે દશ હજાર રૂપિયા કેઈને ત્યાં વ્યાજે મૂક્યા. એને વહેપાર ધમધોકાર ચાલે છે ત્યાં સુધી વ્યાજ બરાબર આપે છે. પણ ધંધા ઠંડા પડ્યા ને વહેપારીની દાનત બગડી ને તમારા રૂપિયા પચાવી પાડે તે સમયે શું થાય? તમે તમારા હાથે ખરચ્યા નહિ તે પેલાએ પચાવી પાડ્યા ને? મિલના શેર લીધા, રાજ્યની લેને લીધી તેમાં પાંચ હજારના પાંચસો થઈ ગયા તે કેટલું દુઃખ થાય છે? એ પૈસા જો તમે દાનમાં વાપર્યા હેત તો કેટલું લાભ થાત? જાતે ભેગવ્યા હતા તે પાપ બાંધત. આ તે દાનમાં કે ભેગમાં જાતે ન વાપર્યા તે બીજાએ વાપર્યા પણ તમારા તે ગયાને! દાન-ભેગ અને પછી નાશનો નંબર છે. જે નાશ ન થતો હેત તે ધન કયાં સમાત !' દુનિયામાં જેટલી પેઢીઓ છે. તેટલી પેઢીઓના નાણુનો નાશ ન થયો હોત તો આજે તેઓની પાસે કરેડે રૂપિયા હોત. ઘણીવાર ડબલ વ્યાજની લાલચમાં માણસ લાખો રૂપિયા ધીરે છે પણ અંતે વ્યાજમાં ડૂબી જાય છે. આ જોઈને ઘણાં ડબલ વ્યાજ મળે તે પણ પૈસા વ્યાજે મૂકતા નથી. તે વ્યાજને લેભ ને ? મારે વ્યાજ નથી જોઈતું. શા માટે? ધનને નાશ થવાના ભયથી ને? નાશના ભયથી લે છે તેથી લોભ પાતળે પડયો ના કહેવાય. તેનાથી મનુષ્યપણું નહિ મળે આપણે કષાય ઉપર વિર્ય મેળવ્યો હોય પ્રકૃત્તિના ભદ્રિક બની, માયા કપટ રહિત સરળ બન્યા હોય, દાન આ અહંકાર ન કર્યો હોય ઈત્યાદિ ચાર બેલથી જે મનુષ્યપણું મળ્યું છે તે મનુષ્યપણામાં સમજણપૂર્વક કષાયે પાતળા પાડીએ તે સમજવું કે મારી મૂળ મૂડી સચવાણું છે. તમે તમારા દીકરાને લાખ-બેલાખ રૂપિયા આપી દે તે તેથી તે તમારે ઉપકાર માનતા નથી પણ હક્ક માને છે. પણ જો દાનમાં વાપરે તે લાભ થાય છે. જેને આપે તે તમારે ઉપકાર માને છે. તમારી લક્ષમી સારા ક્ષેત્રમાં વપરાય અને
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy