SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ શારદા શિખર આવે ત્યારે એવા રંગીલા મધુર સ્વરે ગાય કે અક્રખર ખાદશાહ સાંભળવામાં લીન અની જાય. રાત પડી જાય છતાં અકબરને બંધ કરાવવાનું મન થાય નહિ. જેમ મેઘ ગાજે ને માર નાચે તેમ તાનસેનનું ગાવાનું સાંભળીને ખાદશાહના મનના મારલા નાચી ઉઠે. અને કહે- અહે। તાનસેન ! શુ' તારું સંગીત છે! શું તારી ગીત ગાવાની મધુરતા છે! હું તે। સાંભળતાં મુખ્ય ખની જાઉં છું. મને એમ થાય કે જાણે સાંભળ્યા જ કરુ'! સાંભળતાં રાત વીતી ગઈ. ખીજે દિવસે પણ બાદશાહે તાનસેનનું સ ંગીત શરૂ કરાવ્યુ. મનને મુગ્ધ કરે તેવું તાનસેનનું ગીત સાંભળીને અકખર બાદશાહ ખેલી ઉઠયા હે તાનસેન ! તમે આટલું સુંદર ગાઈ શકે છે. તે સાંભળીને મને વિચાર થાય છે કેતમે જે ગુરૂની પાસે સંગીતનું આટલું સુ ંદર જ્ઞાન મેળવ્યુ છે તે તમારા ગુરૂ તેા કેટલું સુંદર મધુર ગાતા હશે ? દીકરા સારા હોય તા પિતાને યાદ કરાય, શિષ્ય સારા હૈાય તે ગુરૂને યાદ કરાય તે રીતે અહી' અકખર ખાદશાહે તાનસેનને કહ્યું. કે તું આવા સુંદર ગવૈયે તા તારા ગુરૂ કેવા હશે ! “ગુરૂ ગાય છે આત્મરસ માટે ને શિષ્ય ગાય છે કંચન, કીતિ માટે’ તાનસેન કહે મારા ગુરૂમાં તેા અલૌકિક શક્તિ છે. એ શક્તિનું વણુ ન કરવા હું સમર્થ નથી. ખાદશાહ કહે તેા એ ગીત ગાતા હશે ત્યારે કેવું સુંદર મઝાનું ગાતાં હશે ! તે જો અત્યારે હયાત હોય તે મારે તેમનું સંગીત જરૂર સાંભળવુ` છે. મહારાજા ! તે હજી જીવતા છે. આ સાંભળીને અકબરે કહ્યું. તે તેમને એક દિવસ મારા દરબારમાં લઈ આવો. હું અવશ્ય તેમના સંગીતનો રસાસ્વાદ કરીશ. તાનસેન કહે-હજુર ! તે દરબારમાં ક્યારે પણ આવશે નહિ. એવું શા માટે ? તે કોઈના દેખતાં ગીત ગાતા નથી. તે ફક્ત પેાતાના આત્માના આનંદને માટે પેાતાની ઈચ્છાથી ગાય છે. તે હુંમેશા એકાંતમાં ગીત ગાય છે તે એટલે સુધી કે જો કોઈ સંગીતપ્રેમી તેમનું ગીત સાંભળવા પહેાંચી જાય તેા તે ગાવાનું બંધ કરી દે છે. હું કીર્તિ અને કંચન માટે ગાઉં છું ને મારા ગુરૂ ફ્ક્ત આત્માના આનંદ માટે ગાય છે. આપને તેમનું ગીત સાંભળવાની તીવ્ર તમન્ના હોય તે એ જ્યાં વસ્યા છે ત્યાં જઈ એ. તે આપણા દેખતા તે ગાશે નહિ. તે મઠમાં ગાય છે. આપણે મઠની પાછળ છાનામાના સંતાઈ જઈને તેમના સંગીતના આનંદ મેળવશુ’. અકબર બાદશાહને તાનસેનના ગુરૂનું ગીત સાંભળવાની લગની લાગી તે અડધી રાત્રે જંગલમાં જવા તૈયાર થયા. મારા વીરાઓને પણ જ્યારે લગની લાગશે કે સાચું શાશ્વત સુખ સિધ્ધગતિમાં છે તે મારે મેળવવું છે તે તે જડ સુખમાં રાચશે નહિ. પરંતુ હજી લગની લાગી નથી. નાના ખાળકની સાથે તમારી સરખામણી કરુ' તે! તમે ઉતરા તેવા નથી, બાળકને આહાર સજ્ઞાનુ જોર છે ને તમને પરિગ્રહ
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy