SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવણ સુદ ૬ ને રવીવાર વ્યાખ્યાન ન–૨૮ તા-૧-૮-૦૬ સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ ને બહેન ! પરમ ઉપકારી, કરૂણાના સાગર, ભગવતે જગતના જીવા ઉપર અનુકંપા કરી આગમની વાણી પ્રકાશી. તેમાં સૂયગડાય’ગ સૂત્રમાં ભગવાન ખેલ્યા છે કે, एए संगा मणूसाणं, पायाला व अतारिमा । જીવા નસ્ય ચ સિન્તિ, નાદ્ સર્વાદિ મુશ્કિયાા સૂરસૂ.અ.૩ ઉપર ગાથા૧૨ માતા–પિતા આદિ સ્વજન વર્ગોના સંગ સમુદ્રની સમાન દુસ્તર રહેલ છે. સંગ કાને કહેવાય ? જીવ મેહરૂપ પાશમાં બંધાય તેને સંગ કહેવાય છે. તે સંગ કબંધનના હેતુ છે. આ જીવ જ્યાં ગયા ત્યાં સંગ કર્યાં છે. પરના સંગે ચઢી જીવ દુ:ખી થયા છે. માતા-પિતા-પુત્ર-પત્ની-પૈસા અને જ્ઞાતિજના એ બધાનો સંગ છેવટે છેડવાનો છે. માટે આસકત ના અનેા. સમજો. માખી સાકર કે પકવાન ઉપર બેસે છે તેા સ્વાદ માણવા છતાં ત્યાંથી ઉડી શકે છે પણ ચીકાશવાળા પદાર્થ ઉપર બેસે તા ઉડી શકે છે ? ના.' તેમ જે જીવ સંસારના ભાગવિલાસમાં આસકત અને છે તે તેમાં ચાંટી જાય છે. આ લામાં કવાના પુદ્ગલા ઠાંસીને ભરેલા છે. તે જીવને એમ ચાંટતા નથી પણ જ્યારે જીવ રાગ-દ્વેષ તથા કષાય આદિમાં જોડાય ત્યારે ચાંટે છે. જ્યાં ચીકાશ છે ત્યાં ચાંટવાપણું છે. જ્યાં ચીકાશ નથી ત્યાં ચાંટવાપણું નથી. બંધુએ ! આવા ઉત્તમ માનવભવ પામીને જે જીવા સંસારમાં રત રહે છે તે આત્મા ફ્લેશ પામે છે, દુ:ખી થાય છે. એ ભુજાથી દરિયા તરવા મુશ્કેલ છે. કદાચ દૈવી સહાયથી માણસ એ ભુજાથી દરિયા તરી શકે છે પણ માહુપાશમાં પડેલા જીવને સંસાર સાગર તરવા મહામુશ્કેલ છે. જે આત્માએ સંસારને દુસ્તર સમુદ્ર જેવા અગર દુઃખની ખાણુ જેવા સમજીને છોડી દે છે તે તેમાં ફસાતા નથી. કદાચ ઉપસર્ગ આવે તે પણ તેમાં દૃઢ રહે છે. સૂયગડાયંગ સૂત્રમાં ભગવંતે એક ન્યાય આપ્યા છે કે હું સાધક ! સયમ લીધા પછી તને એ પ્રકારના ઉપસર્ગ આવશે. એક અનુકૂળ ને ખીજો પ્રતિકૂળ. તેમાં પ્રતિકૂળ ઉપસમાં તે તું મક્કમ રહે છે તેમ અનુકૂળ ઉપસગ માં મક્કમ રહેશે. કારણકે અનુકૂળ ઉપસગ તને પટકાવી નાંખશે. જેમ કાઈ યુવાન માણસે માતા–પિતા, પત્ની અને પુત્ર-પુત્રીઓનો માહ છેાડીને દીક્ષા લીધી. તે દશ વષે પેાતાના ગામમાં આવ્યા. ઘરઘરમાં ગૌચરી કરતાં જે સંસારી અવસ્થાનું પોતાનું ઘર હતું ત્યાં ગૌચરી આવ્યા. ત્યારે એ પૂર્વની પત્ની ` આવીને ३७
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy