SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ધૂળ ઢાંક્તા જોઈને પૂછયું-સ્વામીનાથ! આ શું કરી રહ્યા છે? ત્યારે રાંકા કહે છે તને શું દેખાય છે? ત્યારે બાંકા કહે છે મને તે તમે ધૂળ ઉપર ધૂળ ઢાંતા દેખાઓ છે. ધૂળ ઉપર ધૂળ ઢાંકવાની શી જરૂર છે? દેવે બંનેની સંતોષવૃત્તિ અને નિર્લોભતા જોઈ તેમની ખૂબ પ્રશંસા કરી અને ચરણમાં નમસ્કાર કરીને ચાલ્યા ગયે. દેવાનુપ્રિયે ! રાંકાને સેનું માટી જેવું લાગ્યું. પણ આ રીતે તમે ચાલ્યા જતા હો ને સોનામહોરોથી ભરેલી થેલી જોવા મળે તે શું કરો ? ધૂળથી ઢાંકી દે કે ઉઠાવી લે ? (હસાહસ) ભગવાનને શ્રાવક પરિગ્રહમાં દટાઈ જાય એટલે પરિ ગ્રહ ભેગા કરે કે મર્યાદા કરે ? એને સોનું પીળી માટી જેવું લાગ્યું. તમને પીળી માટી લાગે કે પ્યારું લાગે ? બરાબર વિચાર કરીને હૈયાથી જવાબ આપજે. મારે હોઠેથી જવાબ નથી જોઈતે. હયાથી જોઈએ છે. તમને તેનું માટી લાગે તે બેલ ને જે માટી ન લાગતું હોય તે સમજે, માટી એ પણ માટી છે ને તેનું, હીરા, ચાંદી આ બધું પણ માટી જ છે ને ? બને પૃથ્વીકાયના ભેદ છે. પણ હીરા, પના, માણેક, અને સોનું આ બધામાં આવનાર છવની પુન્નાઈ વધારે છે. જીવનમાં સમજણ આવશે ત્યારે તેનું અને માટી સરખાં લાગશે. કહ્યું છે કે “રજકણ કે અદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદગલ એક સ્વભાવ જે.” જ્યારે આત્મા જાગશે ત્યારે તેને વૈમાનિક દેવની સમૃદ્ધિ અને ધૂળ બંને સમાન લાગશે. પછી કોઈ ચીજ ઉપર મમત્વભાવ રહેતું નથી. આત્મા પોતે જ સુવર્ણપાત્ર બની જશે અને તેને પિતાને સમજાશે કે હીરા-માણેક–મેતી અને પૈસા ગમે તેટલા ભેગા કરું પણ સાથે કંઈ આવવાનું નથી. બધું અહીં જ રહેવાનું છે. બંધુઓ ! તમારા બાપદાદાએ ગયા તે સાથે કંઈ લઈ ગયા છે ખરા ? જે લઈ ગયા હોય તે કહેજે. (હસાહસ) સાથે લઈ જવાતું નથી છતાં આટલું મમત્વ છે તે લઈ જવાતું હોત તે કેટલું મમત્વ હોત ! મને તે દયા આવે છે કે મમતા રહી જશે તે મરીને વિષધર થશે કે શું ? ત્રણ-ચાર પેઢી ખાય તેટલું ભેગું કર્યું છતાં જીવનમાં સંતોષ દેખાતું નથી. સવારથી સાંજ સુધી તેની દેટ પુદ્ગલ પાછળ હોય છે. અરે, ઘણાં તે એમ કહે છે કે મહાસતીજી ! શું કરીએ, આ સંસારમાં સહેજ પણ સુખ નથી. અમે કહીએ છીએ કે જે સુખ ન હોય તો આવી જાવ અમારા ઘરમાં. (હસાહસ) અમે તમારા જેવા સંકુચિત વૃત્તિવાળા નથી. ઉદાર છીએ. તમે તે તમારા સગા ભાઈને પણ બીઝનેસ બતાવે નહિ. જ્યારે અમે તે ખુલ્લા દિલથી કહીએ છીએ કે સુખ જોઈએ તે આવી જાવ. સુખ તે વીતરાગ માર્ગમાં છે. .. " नवि सुही देवता देवलोए नवि सुही पुढवी पईराया । નવિ સુહી સેઠ શેખાવડું , પ્રાંત અહીં મુળ વતરાની છે”
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy