SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શારદા શિખર થયા. એક વખત મારવા તત્પર બન્યા. ન મર્યા. બીજી વખત, ત્રીજી વખત દષ્ટિ ફેંકી છતાં તીર્થકર ભગવંતને કંઈ અસર ન થઈ. ત્યારે તેને અફસોસ થયે અને ફરીને મારવાનો ઉપાય કરે છે છતાં એની કઈ અસર તીર્થંકર પ્રભુને ન થઈ એ કેણ? તમે જાણે છે ? બેલે, તમને નહિ આવડે. લે હું કહી દઉં. એ હતાં ભગવાન મહાવીર અને પિલે ચંડકૌશિક દષ્ટિ વિષ સર્પ હતો. સૌ કઈ જાણે છે કે ચંડકૌશિક કેણ હતું ને આ ભયંકર ઝેરી સર્પ કેમ બન્યો? ચંડકૌશિક સર્પનો જીવ પૂર્વભવમાં મહાન પવિત્ર સાધુ હતા. એમના લઘુ શિષ્ય સાંજે પ્રતિકમણના સમયે યાદ કરાવ્યું કે ગુરૂદેવ ! આપણે ઠંડીલ જવા ગયા ત્યારે આપના પગ નીચે દેડકી આવી ગઈ હતી. તેની આલોચના કરે. ત્યારે ગુરૂએ તેના ઉપર કોલ કર્યો. બે-ત્રણ વાર શિવે કહ્યું ત્યારે ભયંકર ક્રોધ કરીને શિષ્યને મારવા દેડયા. અંધકારમાં કોધમાં ને ક્રોધમાં થાંભલા સાથે અથડાઈ જવાથી માથાની ધારી નસ તૂટી ગઈ ને મરણને શરણ થયાં. અત્યંત ક્રોધમાં મરવાથી મરીને ચંડકૌશિક નાગ થયા. એક ક્ષણિક કોષમાં વર્ષોની સાધના બળીને ભસ્મીભૂત થઈ ગઈ. ક્ષણિક ક્રોધ મહાવ્રતનો મૂળથી નાશ કરે છે ને આઠ પ્રવચન માતાની મેંકાણ કરી દે છે. બેલે, સાધુ શું જાગુતા ન હતાં કે ક્રોધનું પરિણામ વિષમ આવે છે ! છતાં કોધનો તાવ ચઢયે ત્યારે કાધ કરોડ પૂરવ તણું ફળ જાય રે” આ વચનની ગેળી પણ ગેપ થઈ ગઈને ! ટૂંકમાં કોઈ બૂર છે. ક્રોધ બીજાને ભય પેદા કરે છે, અને ક્રોધ કરનારને ભય ઘણે હોય છે. ક્રોધી કેઈની પ્રીતિ સંપાદન કરી શકર્તા નથી. ક્ષમાવાન રાજકુમારના પવિત્ર વિચારો કે આપણે પિલા કોલી રાજાનું દષ્ટાંત ચાલતું હતું. નવા રાજાએ દ્વારપાળને કહ્યું. મારા પિતા ક્રોધી હતા. મારે એવા ક્રોધી બનવું નથી ને હું એ જુલ્મ કરવાનો નથી. ત્યારે દ્વારપાળે કહ્યું મહારાજા ! આપ એવા ક્રોધી અને કૂર નથી પણ મને એ વિચાર આવે છે કે આપના પિતાજીને યમરાજા એમના કૂર કર્મની સજા કરતાં હશે તે એ કેવી રીતે સહન કરતાં હશે? દ્વારપાળની આ વાત સાંભળીને રાજાની પાસે ઉભેલ પ્રધાન બે અરે! આપણા મહરાજાને ક્રોધ તે એ હતું કે યમરાજા એમને સજા કરે તે ગુસ્સામાં આવીને યમરા જાને પણ પાંચ-સાત ચાબૂક ચઢાવી દેતાં હશે! (હસાહસ). ત્યારે દ્વારપાળે કહ્યું કે મને એ વાતનું દુઃખ થાય છે કે જે મહારાજા કોધિત થઈને જે અન્યાય ભરેલો વ્યવહાર અહીં કરતા હતા તે વ્યવહાર જે યમરાજાની સાથે કરતા હશે તે યમરાજ પણ ગુસ્સે થઈને તેમને પાછા અહીં ધકેલી ન દે તે સારું. નહિતર મહારાજા પાછા આવીને આપણને સતાવશે. (હસાહસો. દ્વારપાળની વાત સાંભળીને એક બુધ્ધિશાળી માણસ એની વાતને મર્મ સમજી ગયા. અને બેલ્યા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy