SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ૧૫૩ નહિ આપુ તે મારી આબરૂ શી ? બાપે કહ્યું-દીકરા ! હવે હું ફરીને નહિ લખાવું પણુ આ વખતે તે તું આપી દેજે. ત્યારે સુરેશે ક્રોધ કરીને કહ્યું કે હું આપવાના નથી. એક વખત નહિ આપું તે તમને ભાન થશે ને ફરીથી લખાવતા ભૂલી જશે. શેઠને તે આંખ કરતાં આંસુ મેટા. રડતાં રડતાં કહે છે સુરેશ ! કંઈક તે વિચાર કર. લખાવેલા પૈસા નહિ આપું તે સંઘમાં મારી કેવી હલકી છાપ પડશે ને લેાકેામાં વાતા થશે કે મગનલાલે પૈસા લખાવીને આપ્યા નહિ. હું ઉપાશ્રયે જઈને લેકામાં શું માઢું' ખતાવીશ ! આમ વિચાર કરતાં મગનલાલ શેઠ મગજ ઉપરને કાબૂ ગુમાવી બેઠા. ને ખેાલવા લાગ્યા કે મારી આખરૂ શી ? છેકરે પૈસા આપતા નથી. આ રીતે ખેલખેલ કરવા લાગ્યા. ચાલે તે ચાલ ચાલ કરવા લાગ્યા. શરીર ક્ષીણ થવા લાગ્યું. પણ સુરેશ ખાપની સ્હેજ પણ સંભાળ લેતેા નથી. દવા પણ કરાવતા ન હતા. “ મિત્રની સુરેશને હિત શિખામણ : ’–શેઠ ખૂબ કંટાળે ત્યારે પોતાના જુના મિત્રને ત્યાં જઈ પેાતાની હૈયા વરાળ ઠાલવી રડી પડતાં મિત્ર શેઠને આશ્વાસન આપતાં કનું સ્વરૂપ સમજાવતાં. તેથી શેઠને કઈક શાંતિ વળતી. મિત્રથી મગનલાલનું દુઃખ જોયું જતું ન હતું. એટલે સુરેશને ઘણીવાર સમજાવતાં કે તારે તારા બાપને આ રીતે ન કરવું જોઈએ. તેની કેવી દશા થઈ છે ! તારા માટે તેમણે કેટલુ' કર્યું" છે! અને તું આવું કરે તે કેટલેા આઘાત લાગે ! મિત્ર સમજાવીને સુરેશ પાસેથી ફાળામાં નાંધાવેલા રૂ. ૧૦૦૧] કઢાવીને શેઠને આપ્યા. શેઠે પેાતાની જાતે સંધમાં આપી દીધા. ને તેના આત્માને શાંતિ વળી. પણ હવે સ`સાર ઉપરથી શેઠનું મન ઉડી ગયું. પુત્રના મેાહ ઉતરી ગયા. ને ધમનું સ્વરૂપ સમજાયુ. પોતે જિંદગીમાં ધમ ન કર્યાં, દાનમાં પૈસા વાપર્યો નહિ તેને ખૂબ અફ્સાસ થવા લાગ્યા. પણ રાંડયા પછીનું ડહાપણુ શા કામનું ? શેઠના મિત્ર રાજ તેમની પાસે આવીને ધનું સ્વરૂપ સમજાવતા. એમ કરતાં એક દિવસ મગનલાલનું આયુષ્ય પૂર્ણ થયુ' ને સુરેશના ઘરમાંથી સદાને માટે પિતાએ વિદાય લીધી. સગાવહાલા અને સંબંધીને શેઠના મૃત્યુના સમાચાર આપ્યા. શેઠની નનામી અંધાઈ ગઈ. તે સમયે સુરેશ માટી પાક મૂકીને ખાપની નનામી પકડીને રડવા લાગ્યા. ખાપુજી! તમે મને મૂકીને ચાલ્યા. હવે હું... એકલા થઈ ગયા. મારુ કાઈ નથી. હવે મારી સંભાળ કોણુ રાખશે ? મને હિત શિખામણુ કાણુ આપશે ? એમ કહીને ખૂબ કરૂણ સ્વરે કલ્પાંત કરવા લાગ્યા. સગાવહાલાં તેના માથે હાથ મૂકીને કહેવા લાગ્યા કે ભાઈ ! શાંતિ રાખા વહેલાં કે મેાડા એક દિવસ તા સૌને જવાનું છે. એનું રૂદન જોઈને સૌની આંખમાં આંસુ આવી ગયા. છેવટે શેઠની અંતિમ ક્રિયા કરી. બધું પતી ગયા પછી સુરેશે એના પિતાના એક માટે ફ્રાટા સુંદર ફ્રેમમાં મઢાવીને દુકાનમાં ૨.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy