SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા શિખર ઉસસે અધિક પુયસે પાયા, સુંદર તન વિચાર ગંભીર, ઇન્દ્રિય શક્તિ સ્વસ્થ મનકા બસ, દીર્ઘ આયુ આરેગ્ય શરીર, આર્યદેશ, ઉત્તમ કુળ, અને પાંચ ઈન્દ્રિયે મહાન પુણ્યથી મળે છે. આંખ હોય તે સંતના દર્શન થાય, સજ્ઞાન પ્રાપ્ત કરી શકાય. કાન મળે તે સંતના મુખે ભગવાનની વાણું સંભળાય પણ એને અર્થ એ નથી કે આંખ મળી એટલે ગમે તેવા ચિત્રો જેવા અને કાન દ્વારા કોઈની નિંદા સાંભળવી અને જીભ મળી એટલે મઢેથી મીઠું બોલવું ને અંદરમાં ઝેર રાખવું. ઘણુ એમ કહે છે કે મયૂરને ટહુકાર મીઠો હોય છે તે મયૂર જેવા બને. પણ હું તે કહું છું કે મચૂર જેવા ન બનશે, મયૂર મેઢેથી મીઠો ટહુકાર કરે છે પણ આખા સર્પને ગળી જાય છે. માટે એવા ના બનશે અરે, વાણી બોલે તે પણ મીઠી બોલજે. કડવી ના બેલશે. શબ્દને હાથ કે પગ નથી પણ શબ્દની એવી તાકાત છે કે તે જીવતા માનવીને મારી નાંખે છે. અમને સાધુ પ્રતિક્રમણમાં બતાવ્યું છે કે સોળ પ્રકારની સાવધ ભાષા સાધુએ ના બેલવી, ભગવંત કહે છે મારા સાધક કેઈ પણ જીવને દુઃખ થાય તેવી સાવધ ભાષા બેલીશ નહિ, હે મારા સાધક! કઈ પણ જીવને દુઃખને નિમિત્ત બનીશ નહિ. પાંચ ઈન્દ્રિઓના વિકારને છતી આત્મા તરફ વળજે. વિષયમાં રક્ત ના બનીશ. દૂધ દૂધરૂપે રહે તે શરીરને પુષ્ટિકારક બને છે પણ જો એ દૂધ વિકૃત બની ગયું હોય ને પીવામાં આવે તે નુકશાન કરે છે. માટે જ્ઞાની કહે છે કે ઈન્દ્રિએ ના વિષયોનું વમન કરી આત્મસાધના કરી લે. દરરોજ સામાયિક કરે, વ્યાખ્યાન સાંભળે, સંતદર્શન કરે છતાં જીવનને ૫૦ટે કેમ ન થાય ? બંધુઓ ! જ્યારે જીવનમાં પટે આવશે ત્યારે તેની દશા કઈ જુદી હશે. - અંદરથી વિષયેના વિષ નીકળી જશે ત્યારે કોઈ ગમે તેવા શબ્દો કહેશે તે પણ દુઃખ નહિ થાય. અને અંદર વિષયેના વિષ ભરેલા હશે તે કઈ સારું કહેશે તે ગમશે. અનાદિ કાળથી જીવને શું ગમે છે ? કેઈ તમને પત્રમાં લખે કે શ્રીમાન”, શેઠ” કે “શાહ” તે પ્રિય લાગશે પણ કઈ કહે કે કેમ શેતાન ? તે કેવું લાગે? તરત જ બહાર જઈને વાંકુ બેલશે કે હું શેતાન છું? હું તે શ્રાવક છું. પણ વિચાર કરજે કે હું શ્રાવક છું કે શેતાન છું ? શ્રાવક કુળમાં જન્મીને કામ શ્રાવકના કરું છું કે શેતાનના ? જીવને વિચારવાનું છે કે મારામાં શ્રાવકના ગુણ છે કે શેતાનના ? એ પિતાની જાતને પૂછે. જે આર્યદેશમાં જન્મ થયો છે તેનું કેટલું ગૌરવ હોવું જોઈએ, આર્યદેશમાં જન્મેલા શિકારીને પણ પિતાની આર્યભૂમિનું કેટલું ગૌરવ હતું. એક વખત એક શિકારી શિકાર કરવા માટે જંગલમાં ગયે. એક વૃક્ષ ઉપર બે પક્ષીઓ બેઠા બેઠા વાત કરતા હતા. ત્યાં શિકારી પક્ષીઓનો શિકાર કરવા
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy