SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ qok શારદા શિખર ખૂબ થતું હતું એટલે ગાયને લીલું ઘાસ શોધવા દૂર જવું પડતું નહિ. એટલામાં ગાયે ચરતી હતી ને દયાદેવી બગીચાના બાંકડા ઉપર સૂતી હતી. એ સમયે એને ઉંઘ આવી ગઈ. તે સમયે પાટલીપુત્રને હિતશત્રુ રાજા કોઈ શત્રુ ઉપર વિજય મેળવી પિતાના નગર તરફ જઈ રહ્યો હતો. તે હાથી-ઘોડા-પાયદળ-રથ આદિ મોટું સૈન્ય લઈને આ રસ્તેથી નીકળે. આ સુંદર બગીચે જોઈ તેના મનમાં થયું. આપણે ગયા ત્યારે આ સુંદર બગીચે અહીં ન હતું. એક વૃક્ષ પણ ન હતું. તે આ બગીચે કોણે બનાવ્યું હશે? કે સુંદર છે ! બગીચાની શોભા જોઈને તેની છાયામાં વિસામો લેવા માટે રાજાએ ત્યાં પડાવ નાંખે. હાથી-ઘેડા-બળદ બધાને બગીચાના ઝાડ સાથે બાંધી દીધાં. બગીચામાં રાજાનું સૈન્ય ઉતરવાથી ખૂબ અવાજ થયે. એટલે દયાદેવી જાગી ગઈ. ચારે તરફ મોટું સૈિન્ય, હાથી-ઘોડા એ બધામાં એની ગાયે દેખાતી ન હતી. એટલે તે ગભરાઈ ગઈ. હાથી-ઘોડા આ બધું જોઈને ગાયે ડરીને દૂર જતી રહી હતી. એટલે એ એકદમ ઉભી થઈને દૂર ગયેલી પોતાની ગાયોને પાછી વાળવા દેડી. એટલે બગીચે પણ એની પાછળ દોડવા લાગ્યા. ઝાડે બાંધેલા હાથી, ઘોડા, બળદ પણ દેડવા લાગ્યા. રાજાને ખૂબ આશ્ચર્ય થયું કે આ શું ? આવું તે મેં કદી જોયું નથી. મંત્રી પણ આશ્ચર્ય પામી ગયે. રાજા કહે પ્રધાનજી ! આ બધું શું આશ્ચર્ય છે ? તમે એની તપાસ કરે. પ્રધાન બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું– સાહેબ ! આપણે આવ્યા ત્યારે પેલી છોકરી બાંકડા ઉપર સુતી હતી. એ અત્યારે ડે છે. એટલે મને લાગે છે કે એની પાછળ આ બધુ દેડતું હોય તેમ લાગે છે. રાજા કહે–તે એ છોકરીને બોલાવીને પૂછે. પ્રધાન મોટેથી કહે છે હે બહેન ! તું ઉભી રહે ! હવે તે ઉભી રહેશે કે નહીં ને શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૧૨ અષાડ વદ ૫ ને શુક્રવાર તા. ૧૬-૭–૭૬ અનંત કરૂણાના સાગર, સમતાના સાધક, વિષયના વારક, મમતાના મારક અને સ્વાદુવાદના સર્જક એવા ભગવંતે જ્ઞાતાજી સુત્રના આઠમાં અધ્યયનમાં ગૂઢ ભાવે સમજાવ્યા છે. એ ગૂઢ ભાવે આપણને કયારે સમજાય ? જ્યારે આત્મા વિભાવનું વિસ્મરણ કરી સ્વભાવના ઘરમાં આવે ત્યારે. આત્મા સ્વભાવમાં આવે ત્યારે એને પોતાનું ભાન થાય છે. દેવેને પણ દુર્લભ એ માનવભવ પામીને માનવીએ આત્માનો વિચાર કરવાનો છે. આત્માને વિચાર એટલે આત્માના સ્વભાવને વિચાર.
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy