SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ શારદા શિખર તેના પતિને પણ કેટલો આનંદ હાય ! કયારે પણ કલેશનું નામ નહિ. આ રીતે ખલરાજા ધારણી આદિ ૧૦૦૦ રાણીએ સાથે સ્વર્ગ જેવા સુખ ભાગવતાં હતા. ખંધુએ ! આ ખલરાજા કેટલા પુણ્યવાન છે કે તેમની રાણીએ તે આજ્ઞાંકિત હતી, સાથે તેમનું મંત્રીમંડળ પણ અનુકૂળ હતું. શરીરમાં કોઈ જાતની વ્યાધિએ હુમલા કર્યો નથી, ખીજા રાજ્ય તરફથી લડાઈના ભય નથી. હાથી-ઘેાડા, રથ અને પાયદળના પાર નથી. સેવકે ખમ્મા ખમ્મા કરે છે. અઢળક સંપત્તિ છે. સૌ કાઈ તેમની સેવામાં હાજર છે. ભૌતિક સુખમાં કોઈ જાતની કમીના નથી. વધુ મેળવવાની આશા કે અભિલાષા નથી. અનેરા આનંદ-પ્રમાદ અને વિનેાદમાં દિવસે પસાર થઈ રહ્યા છે. બેલા, ખલરાજા કેટલા સુખી છે ! કેાઈ જાતનું દુઃખ છે ? પણ જ્ઞાનીએ કહે છે કે રાજાને ગમે તેટલું સુખ હોય પણ અંતે નાશવંત છે. આવા સુખી રાજા કરતાં મેક્ષમાં બિરાજતા સિધ્ધ ભગવાને સમયે સમયે અનંતગણું સુખ હાય છે. અને તે પણ શાશ્વત છે. તેના કદી નાશ થવાનો નહિ. આવું શાશ્વત સુખ મેળવવું હાય તેા ધર્મની આરાધના કરે. અલરાજા ધારણી પ્રમુખ એક હજાર રાણીએ સાથે સુખ ભાગવે છે. ને આનંદ કરે છે. "तर णं सा धारिणी देवी अन्नया कथाई सिहे सुमिणे पास्सित्ताणं पडिबुध्धा ।” એક વખત ધારિણી રાણી સુંદર પલંગમાં સુતા હતાં ત્યારે કંઈક ઉંઘતાં અને કંઈક જાગતાં એવી અવસ્થામાં રાત્રીના છેલ્લા પ્રહરે તેમણે સ્વપ્નમાં એક સિંહ જોયા. એ સ્વપ્ન જોતાંની સાથે રાણી જાગૃત થયા. સ્વપ્ન કંઈક જાગૃત અને કંઈક નિદ્રા હોય તેવી અવસ્થામાં આવે છે. એકાંત જાગતા કે એકાંત ઘતા હાય એવી અવસ્થામાં સ્વપ્ન આવતું નથી. કુલ ૭ર સ્વપ્ના છે તેમાં ૩૦ સ્વપ્ના શુભ છે ને ૪૨ સ્વપ્ના અશુભ છે. તેમાંથી તીથ કર ભગવંત જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તેમની માતા ૧૪ સ્વપ્ના દેખે છે અને ચક્રવતિની માતા પણ એ ચૌદ સ્વપ્ના દેખે છે, પણ અનેમાં ક્રક એટલે છે કે તીથ કર પ્રભુની માતા એ ચૌદ સ્વપ્ના સ્પષ્ટ દેખે છેને ચક્રવતિની માતા ઝાંખા દેખે છે. વાસુદેવની માતાને સાત સ્વપ્ના આવે છે. બળદેવની માતાને ચાર સ્વપ્ના આવે છે અને માંડલિક રાજાની માતાને એક સ્વપ્ન આવે છે. આ ધારણી રાણીને પણ સ્વપ્ન આવ્યું. એ ચૌદ સ્વપ્ના માંહેનું એક સ્વપ્ન હતું. સ્વપ્નને ધારણ કરનાર પણ ધૈયવાન જોઈએ. કોઈ સારું સ્વપ્ન આવે પછી ઉંઘવું નહિ પણ ધર્મારાધના કરવી. અને એ સ્વપ્ન કાઈ જેવા તેવા માણસને મેઢ કહેવું નહિ. સવાર પડતાં ગામમાં કોઇ પવિત્ર સત ખરાજમાન હાય તેમની પાસે જઈને સ્વપ્નની વાત કરવી. સંત ન હાય તેા ઘરમાં વડીલને કહેવું. એ ન હોયને પતિ ધૈયવાન હાય તા તેને કહેવું, અગર કઈ સગા-સ્નેહીમાં સજ્જન હોય તે ત્યાં
SR No.023338
Book TitleSharda Shikhar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherManiben Chhaganlal Desai Parivar
Publication Year
Total Pages1002
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy