SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ અગિયારમું મેળા–ઉરસ–વડા ભારતના દરેક પ્રાંતમાં વિવિધ રીતે મેળાઓ, ઉરસ તથા વરઘોડાઓ જાય છે. આ બાબતમાં ભારતના અન્ય પ્રદેશમાં અને તેમાંએ ગુજરાતમાં જાતા એ મેળાઓમાં લાખે ધાર્મિક અને ભાવિક પ્રજા ભાગ લે છે. આ મેળાઓ ભારતીય સંસ્કૃતિનાં દર્શન કરાવે છે. આ મેળાઓ દ્વારા જીવનની ઉન્નતિ અને ભાવનાઓનાં દર્શન થાય છે , આપણા ગામમાં અને તેની આસપાસમાં જે જે ધર્મ સ્થળ , ત્યાં સારા પ્રમાણમાં મેળા ભરાય છે. મુસ્લીમ ભાઈઓનાં ઉરસ પણ સારા પ્રમાણમાં ભરાય છે. આપણું ક૫ડવંજમાં ભરાતા મેળાઓ:સોમનાથ મહાદેવ અને માટી નાની રત્નાગર માતાજીના સ્થાનકે તથા કરસનપુરામાં દર નુતનવર્ષ અને ભાથીજીના સ્થાનકે મેળો ભરાય છે, તેવી જ રીતે આસપાસમાં ઉત્કંઠેશ્વર, કેદારેશ્વર, ફાગવેલ, તેરણા અને પીઠાઈમાં સારા મેળા ભરાય છે. આ પ્રણાલિકાઓના યાજકેએ સામાન્ય રીતે શ્રાવણું ભાદરવા માસની પસંદગી કરેલ છે, તેમાં પણ પૂર્ણિમા, અગિયારસ કે અમાવાસ્યાને પસંદગી આપેલ છે. આપણે પ્રદેશ ખેતી પ્રધાન હોવાથી વિવિધ રીતે અભ્યાસ કરીને જ આપણા ભૂતકાળના વિદ્વાનોએ સમય અને ઋતુઓની પસંદગી કરેલ છે. આપણું ભારતીય સંસ્કૃતિના આ ઉત્સવને સંબંધ ધર્મ સાથે જ સંકળાયેલ છે. ઉરસ મુસ્લીમ ધર્મ સાથે, પયગમ્બર સાહેબ કે સંતના પીર જીવન સાથે જ સંબંધ ધરાવતું હોય છે, અને વરઘોડા, ધાર્મિક ઉત્સવ અને રાષ્ટ્રિય તહેવારે કે લગ્ન જેવા શુભ પ્રસંગે હોય છે. ફર્પટવાણીજ્ય, કપડવણજ, કપડવંજ ત્રણે અને તેની આસપાસ આવેલ પવિત્ર સ્થળ પર મેળા જાય છે. જેમાં ઉત્કંઠેશ્વર મહા વદ ૧૪ (મહાશિવરાત્રિ) તથા દંતાલીમાં શ્રીમનાથ મહાદેવ, - ફાગવેલ -નૂતન વર્ષે મેળો ભરાય છે. સોમનાથ મહાદેવ લસુંદ્રા -શ્રાવણ વદ આઠમ(જન્માષ્ટમી) ભાદરવા સુદ-૭ ૧૨ થી પૂર્ણિમા, મેટી તેમજ નાની નાગર માતાજીના સ્થાનકે સુંદર મેળે જાય છે,
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy