SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. ગૌરવ દશમું - કપડવણજની પિાળા સ્થળે તેલાતું અને તે તેલની રકમ ગામના અમુક કુટુંબ માટે વપરાતી. આ ખડકીની પાછળ તિહાસિક કુડવાવની કમાન છે. મહાદેવવાળું ફળિયું : પ્રાચીન કપડવણજ માટે વાવ, કૂવા, નવાણે ખોદાતાં આ કુંડવાવમાંથી નીકળેલ પ્રાચીન પ્રતિમાઓમાંની એક લીંબી છે. જે નીલકંઠ મહાદેવના નામે આ સ્થળે ભુગર્ભમાં શેભે છે. આ ખડકીમાં પ્રવેશતાં પહેલાં “બળિયાકાકાનું ધામ છે. અહીં એક મેડાબંધી નાનકડી ધર્મશાળા છે. પાછળથી નાના બારણે નીકળતાં ટાવર પાસે ગેલવાડની સામે નીકળાય છે. માકુંડાની પોળ : આ ખડકીની પાછળ એક બારી છે. જ્યાંથી મોચીવાડામાં જવાય છે. જમણી બાજુ ખરકીઓ વટાવી આપણે સરખલિયા દરવાજે પરબડી પાસે આવી પહોંચ્યા. હવે મૂળ લાંબી શેરીથી ડાબી બાજુનું નિરીક્ષણ કરતાં આ સ્થળે આવીશું. પીપળા ખડકી : આ પિળના દરવાજે એક પીપળાનું વૃક્ષ હતું તેથી તે પીપળા ખડકી કહેવાય છે, આ વતનીના ચક્ષુ સમા મુત્સદી રા. બ. વલ્લભરામનું ઘર હતું. અહીં જળેશ્વર મહાદેવનું દેવળ પણ છે. વસ્તી મેઢ બ્રાહ્મણની છે. ઊંડાપાડા (હનુમાનવાળાની ખડકો)ના નામે પણ ઓળખાય છે. આ સ્થળે પહેલાં ઊંડું સરેવર હતું (તલાવ) એમ માનય છે. અને તે પર શ્રીકામેશ્વર મહાદેવની દેરી છે. કામેશ્વર મહાદેવનું જે લીંગ છે તે (નાનું સ્વરૂપ) ૧૬૫ વર્ષ પહેલાં કેઈ યોગી પુરુષ આ સ્થળે મૂકી ગયેલા. તેની પ્રતિષ્ઠા તે સમયના વડીલેએ કરેલી, તે બાદ મંદિર પણ બંધાવેલ. કામેશ્વર મહાદેવ શિવપરિવાર દેવતાઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ તથા અન્ય ધાર્મિક વિધિ બાદ પૂજ્ય સ્વામી શ્રી સચ્ચિદાનંદજીએ દીપ પ્રગટાવી સંઘને પ્રકાશ આપેલ. પિળની તથા અન્ય બહેનોએ જળ લાવવાને વરઘોડો કાઢેલ ને કળશમાં જળ લાવી આપેલા સાપન વિધિ વિદ્વાનેએ વૈદિક મંત્રોચ્ચારથી કરાવી હતી. ગુજરાતના ચારે વેદના વિદ્વાનો આ પ્રસંગને દીપાવવા કપડવણજ પધારેલા સંવત ૧૯૭૮ના મહા વદિ ૧થી મહા વદિ ૧૨ સેમવાર સુધી ભવ્ય રીતે ઉજવેલ. આ પિળમાંથી એક નાનકડી બારી વાટે મહંમદ મુરાદની ખડકીમાં જવાય છે. જ્યાં સુથારવાડાને પાછળ ભાગ જોડાય છે. આ પિળ જૂની છે. બ્રાહ્મણની વસ્તી છે. ભવાડ : આ પિળમાં લક્ષમી સંપન્ન ભટ્ટ અટવાળા બ્રાહ્મણની વસ્તી છે. આ પિળમાં પેસતાં એક કૂવે છે. અને તેની પર માતાજીની ડેરી છે. પટેલવાડાના નાકા પાસે શ્રીસ્વામિનારાયણનું મંદિર છે. સામે એક નાનકડી ખડકી છે.
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy