SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌરવ શું–કિ સમા શ્રી સ્વામિનારાયણ મંદિર શ્રીરઘુનાથજી મંદિર સામે મહેલવાડના દરવાજે પેસતા ડાબા હાથે શ્રી સ્વામીનારાયણનું ભવ્ય દેવળ છે, આ દેવળ કપડશ્વગુજના અગ્રગાર મુત્સદ્દી રાજેશ્રી ભુદરભાઈ ધનેશ્વભાઈએ બંધાવેલ. આ દેવળમાં શ્રી હનુમાનજીની પ્રતિમા જોવા જેવી છે. મંદિરનું ક્ષેત્રફ ૪૦૫૦/૪૦૨૫ ચોરસફુટના આશરે છે. શ્રીનીલકંઠ મહાદેવના ફળીયા પાસે જમણી બાજુ રાજમાર્ગ પર એક બીજું શ્રી સ્વામીનારાયણનું મંદિર છે. ત્યાં કુક્ત આ સંપ્રદાયનાં બહેને જ લાભ લે છે. વનિતા વિશ્રામઃ આ એક પ્રાદુકા મંદિર ઉડાપાડા (હનુમાનવાળી ખડકી) સામે હતું. આ વિશ્રામ મંદિરની સ્થાપના શ્રીમનુમાધવા તીર્થ મહારાજે સવંત ૧૯૬૫માં ચિત્ર સુદ ૧૧ને ગુરઘરે ફરેલ. આ સ્થળે કેટલીક ધાક્ષિક બહેને ધર્મ મળતાં. હાલ આ સ્થળને ચણી લેવામાં આવ્યું છે. શ્રીરામજીનું મંદિર (રામજી મંદિર) : પટેલવાડાના કાજા સામે મઢ બ્રાહ્મણની ધર્મશાળાની પાસે જ શ્રીરઘુનાથજીનું મંદિર છે, તે પણ મેડાબંધી છે, તેનું પ્રવેશદ્વાર પશ્ચિમાભિમુખે છે. શ્રીરામલક્ષ્મણ અને જાનકીજીની પ્રતિમાઓ પૂર્વાભિમુખે છે. પ્રવેશતાં જમણી બાજુ બહાર ગોખમાં શ્રીવાયુપુત્રની નાનકડી પ્રતિમા છે. આ મંદિરનું ક્ષેત્રફળ ૯૨/૦૦ ચોરસફુટ આશરે છે. મંદિરની પૂજન કિયાદિ વિધિ શ્રીરાસી (ભટ્ટ) મેવાડા (જ્યોતિષનિષ્ણાત) કુટુંબના કરે છે. પ્રતિમાની સ્થાપના પદ્મવિભુષણશ્રી તથા અ.સૌ.લેડી. કુસુમનના શુભ હસ્તે કરવામાં આવેલ છે. (તા. ૧૪-૩-૬૮ સંદેશ સમાચાર પ્રમાણે.) રામજી મંદિરના જીર્ણોદ્ધાર માટે સારી રકમ એકત્ર કરવા કેંગરેજી મહારાજને વિનંતી કરી રામાયણ પારાયણનું તારીખ ૨૭૮-૭૧ થી તારીખ ૪–૯–૭૧ સુધી આયોજન થયું હતું. શીખેરવાડિયા હનુમાન? ક્યારે કર્ધ્વગુજ રાહના આરા તરફ હતું ત્યારે આ સ્થળે જંગલ હતું. અહીં ખેરનાં ઝાડ હતાં, તેમ મનાય છે. કુદરતની અગમ્ય કળા સ્થળને જળ અને જળને સ્થળ મનાવે છે. જંગલમાં પણ સંગલ સ્થાન બનાવે છે. શ્રીહનુમાનજીની સ્વયંભુ ચમત્કારીક પ્રતિમા છે. આ નાનું દેવળ કંસારાવાડાના ચકલેથી થોડે દૂર સુથારની નાની ખડકી પાસે છે. હાલનું દેવળ નવું બંધાવેલ. તેનું ક્ષેત્રફળ ૧૭૧/૧૭૦ ચો. ફુટના આશરે છે. તેમાં શ્રીરાણપતીજીની પ્રતિમા છે. પૂજન વિધિ તપોધન કુટુંબના કરે છે. શ્રીમીર મંદિરઃ નદી દરવાજે મોટા કુંભારવાડામાં કબીરપંથી સંપ્રદાયના બે મંદિરે છે. તેમાં એક મંદિર જેનું પ્રવેશદ્વાર પૂર્વાભિમુખ છે, તે ગોલા (રાણા)
SR No.023335
Book TitleKapadvanajni Gaurav Gatha
Original Sutra AuthorN/A
AuthorPopatlal Daulatram Vaidya, Kanchansagarsuri,
PublisherAgamoddharak Granthmala
Publication Year1984
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy