SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ K. ૭: અનુ-ગુપ્તકાલીન શિલ્પલા સર્વાધિક પ્રશંસા પામ્યું છે. દિલ્હીના નેશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત આ પ્રકારનુ એક ગંધ યુગલનું શિલ્પ એનું શ્રેષ્ઠ દષ્ટાંત ગણાય છે. એમાં એ યુગલને આકાશમાં છટા અને ગૌરવપૂર્વક સંચાર કરતું દર્શાવ્યું છે. શ્રેણીબદ્ધ વક્રરેખાઓ દ્વારા ગતિસંચાર દર્શાવ્યા છે. કુમારસ્વામીને મતે આ શિલ્પમાં ગુપ્તકલા કરતાં વિશેષ નાટયાત્મક જુસ્સા અને એની ગતિશીલતામાં મેાકળાશ વરતાય છે. આમાં આકૃતિને લાલિત્યપૂર્ણ બનાવવાનુ અને દેહને પાતળાપણું આપવાનું વલણ વધતું જતું જણાય છે. હાળેની શિલ્પકૃતિઓ મધ્યમ કોટિની છે. અલબત્ત એમાં મૃદુતા અને સમતુલા ષ્ટિગેાચર થાય છે. એમાં મુખ્ય દેવતાઓ અને ગૌણ આકૃતિઓના દેહ પાતળી કટિને લઈને નારી જેવી કોમળતાવાળા બન્યા છે, પણ એ સિવાય એમાં પ્રશિષ્ટ કલાના કોઈ અંશ વરતાતા નથી. એમાં સારનાથની ભાવાભિવ્યકિતની ક્ષમતા આવી શકી નથી. જો કે અંગેાની મૃદુતા અને સૌમ્ય મૂર્તિવિધાનની બાબતમાં એ સારનાથની પ્રશિષ્ટ કલાથી પ્રભાવિત જણાય છે. આ શિલ્પામાં લાંબા પાતળા દેહ અને લાંબી મુખાકૃતિ પૂર્વવર્તી વેંગી કલાના પ્રભાવનાં સૂચક છે. અં હોળેનાં આ શિલ્પા પૂર્વકાલીન વેંગી (આન્ધ્ર) કલા અને ઉત્તરકાલીન પલ્લવ કલાને સાંધતી કડી રૂપ જાય છે. દુર્ગામંદિરની ફરતી પરસાળમાં કરેલા ગવાક્ષેામાં કંડારેલાં શિવ, વિષ્ણુ, લક્ષ્મી, ન્રુસિંહ અને વરાહ અવતાર તથા મહિષાસુરમર્દિનીનાં શિલ્પા આના દૃષ્ટાંતરૂપ છે. આમાંના વિષ્ણુના શિલ્પમાં કોમળ દેહવાળા દેવના મુખ પરના મૃદુ હાસ્યમાં છતા થતા પરમ આધ્યાત્મિક આનંદ અને લક્ષ્મીના શિલ્પમાં જમણા પગ. ટેકવીને ઊભેલ દેવીનાં રત્નજડિત આભૂષણો ભારે શિરાવેષ્ટન અને કુંડળ તથા મસ્તક પરની પુષ્પસજાવટ ખાસ ધ્યાન ખેંચે છે. આદાસીમાં આ કાલમાં ત્રણ બ્રાહ્મણ ગુફાઓ અને એક જૈન ગુફા કંડારાઈ હતી. આ બધી ગુફાઓ શિલ્પથી ભરચક સુશાભિત છે. દેવાની આકૃતિઓ શાસ્ત્રીય નિયમાનુસાર નહિ પણ સ્વેચ્છાએ વિગતવાર કંડારેલી છે. દેવદેવીઓના અનેક હાથ અને આયુધ પર વિશેષ ધ્યાન અપાયું છે. એમાં ગુપ્ત શૈલી જેવી હસ્ત મુદ્રાઓ! અને એ શૈલીમાં મૂર્તિ પર દેખાતા એપ પણ અહીં જણાતાં નથી. આમ છતાં આ શિલ્પાની નોંધપાત્ર વિશેષતા એ છે કે અગાઉ ગુપ્તકાલમાં સારનાથ વગેરેની મૂર્તિ એમાં દેવતાઓની દિવ્યશકિત પ્રચ્છન્ન રહેતી હતી તે અહીં મુખ્ય દેવતામાં પૂરાં જોમ સહિત અંતરના ઊંડાણમાંથી ક્રિયાશીલતા સાથે પ્રફ્ ટ થતી જણાય છે. એને સચાટ રીતે વ્યકત કરવા માટે શિલ્પના લકની નિર્ધારિત મર્યાદાને અતિક્રમીને મુખ્યદેવનાં અંગે અને આયુધાને બહાર નીકળતાં દર્શાવ્યાં
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy