SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય પ્રાચીન શિક્ષા છે. ભારપુત્રકોની ઉપરની આડી પટ્ટીમાં હાથી, વૃષભ, વરાહ, ઊંટ વગેરે પશુશિલ્પ કોતરેલાં છે. આ થરની ઉપર વેદિકાસ્તંભેની પંકિત છે. સ્તંભ-અંતરાલ વચ્ચે ત્રણ ત્રણ આડી સૂચિઓ પરોવેલી છે. એ પર સૂર્યમુખી કુલ તથા અર્ધચંદ્રાકાર કમલદલ કોતર્યા છે. મથુરાના સ્તૂપની પદ્મવર વેદિકાની પ્રતિકૃતિ સમાન આ રચના છે. વેદિકાના મથાળે વેલ ઉષ્ણીષનો ઘાટ લહેરાતી વેલ જેવો છે. એમાં અનેકવિધ ફૂલપાનની ભાત કોતરેલી છે. વેદિકાના સ્તંભમાં વચ્ચેના પહોળા સ્તંભો ઉપર ઉપાસકોનાં શિલ્પો કોતરેલાં છે. વેદિકાના બંને છેડે કાર્લાના કીર્તિ સ્તંભને મળતો એક એક સ્તંભ છે. તેના શીર્ષભાગમાં યક્ષોના મસ્તકાશ્રિત અંડભાગ કે ચોકી પર ત્રણ દિશાને અભિમુખ કરતા સિંહે કોતરેલા છે. એમનાં મસ્તક પર -ધર્મચક્ર આવેલું હતું. ડાબી બાજુના સ્તંભ પરના સિંહે પણ હવે નષ્ટ થયા છે. આ ચૈત્યગૃહના મુખ ભાગ પર દાન દેનારાની ભવ્ય મૂર્તિઓ કોતરેલી છે. બંને બાજુ આવેલ દંપતી-યુગલોની મૂર્તિઓ બે સિંહસ્તંભ તથા ઉપર નીચે ગ્રાસ પટ્ટીઓ વડે પરિવેષ્ટિત છે. પુરૂષે મસ્તક પર ભારે ઉષ્ણીષ, કર્ણ કુંડલ, કંઠહાર, અંગદ, કટક, મેખલા તથા ચૂડીદાર ધોતિયું પહેર્યું છે. એના ડાબા હાથમાં ચામર છે. પુરૂષોની પડખે આવેલ સ્ત્રીઓના વસ્ત્રાલંકારો પણ તેવા જ ઘાટના છે. મંડપની બંને બાજુએ તથા તૃપને ફરતા કુલ ૩૪ સ્તંભોની પંકિત છે. તેમાંના લગભગ અડધાની નીચે પૂર્ણ ઘટયુકત કુંભી તથા ઉપર સુશોભિત શીર્ષક છે. એક શીર્ષક પર કમલપત્તીની પંકિત અને તે પર મણકાની વેલ છે. તેના ઉપર બોધિવૃક્ષ અને બોધિમડ(આસન)ની શોભા છે. બોધિમડ પર પાદુકાનાં ચિહ્નો અંકિત કરેલાં છે. એક પુરૂષ અને એક સ્ત્રી તેની પૂજા કરતાં આલેખાયાં છે. સૌથી ઉપર ઘડામાંથી જલાભિષેક કરતા હાથીઓ છે. મંડપની ઢોલાકાર છતમાં કાષ્ઠપિંજરની રચના દર્શાવતાં શિલ્પો હતાં, પણ એના અવશેષો જળવાઈ રહ્યા નથી. આ ચૈત્યગૃહ ઈ.સ. ૧૮૦માં કંડારાયાનું એના લેખ પરથી જણાય છે. ૧૦) વંગી શૈલી પ્રસ્તુત કાલમાં દક્ષિણમાં આન્ધ (સાતવાહન) રાજાએ તથા ઈકવાકુ રાજાઓના શાસન દરમ્યાન કૃષ્ણા અને ગોદાવરી વચ્ચેના પ્રદેશમાં અનેક બૌદ્ધ સ્તૂપ બંધાયા -હતા. આમાં અમરાવતી અને નાગાર્જુનીકડા, જગ્ગય પેટ, ઘંટશાલા, ગુડીવાડા અને ભટ્ટીળુના સ્તૂપે નામાંકિત છે. આ સ્તૂપો પૈકી કેટલાકના પીઠ ભાગ પર આરસની અલ્પમૂર્ત શિલ્પપટ્ટિકાએ જોવા મળે છે. એમાં અમરાવતીના સૂપ પરનું શિલ્પકામ ઉત્કૃષ્ટ પ્રકારનું હોવાનું માલુમ પડ્યું છે. એમની શિલ્પશૈલી “ોંગી શૈલી” તરીકે પ્રસિદ્ધ છે.
SR No.023332
Book TitleBharatiya Prachin Shilpkala
Original Sutra AuthorN/A
AuthorPravinchandra C Parikh
PublisherUniversity Granthnirman Board
Publication Year1978
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy