SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ મૈoણવ સંપ્રદાય ૫૩ વિધવાઓને સતી થવાને બદલે હરિભજન દ્વારા વૈરાગ્ય ભાવના કેળવવાની પ્રેરણા આપી રોગીઓ માટે દવાખાનાની સ્થાપના કરી. લગ્નમાં ફટાણું કે બીભત્સ શબ્દો ન બોલવાને ઉપદેશ આપ્યું. લેખકે દ્વારા ગ્રંથલેખનની પ્રવૃત્તિ વિકસાવી. તેઓ પોતાને ઉપદેશ બહુ જ સાદી અને સરળ ભાષામાં સમાજના નીચલા થરના વર્ગને સમજાય તેવી રીતે આપતા. તેમણે સમાજના દરેક વર્ગ માટે ધર્મનાં દ્વાર ખુલ્લા કર્યા. વર્ષમાં લગભગ આઠ માસ તેઓ બહાર ધર્મ પ્રવચને કરતા અને ચાર માસ ગઢડામાં રહેતા. તેમણે કેઈ નવા તત્ત્વજ્ઞાનને ફેલાવો કર્યો નથી. શિક્ષાપત્રમાં જણાવ્યું છે કે તેમણે કેવળ રામાનુજના વિશિષ્ટ દૈત સિદ્ધાંતનું પાલન કર્યું છે. તેમણે પિતાના ઉપદેશમાં કહ્યું છે કે, “પરબ્રહ્મ પરમાત્મા એ ઈષ્ટદેવ છે. પરમાત્મા દિવ્ય સાકારમૂર્તિ છે. તે સચ્ચિદાનંદરૂપ છે. પરબ્રહ્મ આદિ તથા અંતમાં છે. એનો સંબંધ નિત્ય છે. માયા એ ત્રીજુ અનાદિ તત્ત્વ છે. માયા આત્યંતિક પ્રલયકાળે બ્રહ્મમાં લીન રહે છે. આ માયાને પ્રકૃતિ કહે છે. માયામાંથી ઈશ્વર ઉત્પન્ન થાય છે. ઈશ્વર અને જીવ પેઠે ત્રણ દેહ અને ત્રણ અવસ્થાધારી સત્ય છે. આ સંપ્રદાયના અનુયાયીઓ માને છે કે પરબ્રહ્મ પરમાત્મા એ ઈષ્ટદેવ છે. પૃથ્વી ઉપર એમને સ્વામીનારાયણ સ્વરૂપે આવિર્ભાવ થયે છે. માટે સ્વામીનારાયણ પ્રગટ પુરુષોત્તમ કહેવાય છે. રામાનુજ સંપ્રદાયમાં ચતુર્ભુજ-નારાયણ પૂજાય છે. અહીં દ્વિભૂજ નારાયણની મૂર્તિ પૂજાય છે. આ સંપ્રદાયમાં મનાય છે કે મુક્તિ મેળવવા માટે જીવે પરમાત્માના અસલ સ્વરૂપનું જ્ઞાન મેળવવું, તેની બે રીતે સવિક૯૫ અને નિર્વિકલ્પ ઉપાસના કરવી. ભક્તિ એ મુક્તિ માટેનું મુખ્ય સાધન છે. ઈષ્ટદેવની ભક્તિ કરતાં પરમેશ્વર અને બ્રહ્મનિષ્ટ સંતને યોગ પણ થાય આ સંપ્રદાયમાં સત્સંગને મહિમા વિશેષ છે. આથી સંપ્રદાયના અનુયાયીઓ સત્સંગી કહેવાય છે. સત્સંગી થનારે અહિંસા, બ્રહ્મચર્ય, મઘત્યાગ, ચેરીને ત્યાગ, માંસને ત્યાગ, સત્ય બોલવું, દાન કરવું વગેરે આચારો પાળવાના હોય છે. આ સંપ્રદાયના અનુયાયીઓ ત્રણ વર્ગમાં વહેંચાયેલા છે. બ્રહ્મચારી, સાધુઓ અને ગૃહસ્થો. બ્રાહ્મણે બ્રહ્મચારી થઈ શકે. ગમે તે વર્ણના લકે સાધુ થઈ શકે. સાધુઓમાં પરમહંસ, પાળા અથવા પાર્ષદ, એવા વર્ગ હોય છે. શુદ્રો પાર્ષદ થઈ શકે. સામાન્ય સંસારી સત્સંગી ગૃહસ્થ કહેવાય.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy