SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઈસ્લામ ધર્મ ૧૪૭ સમસુદ્દીને અમદાવાદમાં ગાદી ફેરવી. વહેરાઓએ દાઉદ બીન કુતુબ શાહને વડા મુલ્લાજી તરીકે સ્વીકાર્યા. ઈ. સ. ૧૫૯૦માં દાવેદી અને સુલેમાની ફિરકા અસ્તિત્વમાં આવ્યા. તેઓની વસ્તી ગુજરાતમાં સિદ્ધપુર, અમદાવાદ, દાહોદ, નડિયાદ વગેરે સ્થઓએ વિશેષ પ્રમાણમાં છે. નડિયાદના વહોરાઓ મઝહબી સકીદા તરીકે ઓળખાય છે. આ કેમ ધર્મભીરુ હોય છે. તેઓ નાનાં નાનાં ગામડાંઓમાં વેપાર કરતા હોય છે. આ સર્વ વહોરાએ મુલા યા મહમૂદ અલીના બોધથી મુસલમાન થયા છે. તેઓની જમાત સમય જતાં સાત વિભાગમાં વહેંચાઇ ગઇ : (૧) દાઉદીયા, (૨) સુલેમાનીઆ, (૩) અલીઆ, (૪) ઝેદીઆ, (૫) હજુમીયા, (૬) ઈસ્લામીયા, (૭) નઝીરીયા. ગુજરાતના ખૂણે ખૂણેથી શિયા પંથના વહોરાએ ખંભાતમાં ઝિયારત માટે આવે છે. ગુજરાતના ઘણું વહેરાઓ રાજસ્થાનમાં ડુંગરપુર જિલ્લામાં મહી નદીના કિનારે આવેલા ગલીયાકોટમાં યાત્રાર્થે આવે છે. વહોરા કેમમાં આ તીર્થને વિશેષ મહિમા છે. અહીં મેટી દરગાહ આવેલી છે. તેની નજીક શીતળા માતાનું મંદિર આવેલું છે. આ સ્થળે વહેરાઓ માટે જમવાની તથા રહેવાની ખાસ સગવડ કરવામાં આવી છે. ગુજરાતના ખેજાઃ | ગુજરાતમાં આવેલા નિઝારીઓએ પાટણમાં આવી ધર્મપ્રચારનું કાર્ય આરંવ્યું. અનુશ્રુતિ પ્રમાણે જાણવા મળે છે કે તેમણે પાટણની એક હિંદુ પ્રતિમાને બેલતી કરી. એની પાસે પોતાના સંપ્રદાયની પ્રતિષ્ઠા પ્રતિપાદિત કરાવી. આ ઉપરથી ઘણું હિંદુઓ મુસલમાન થયા. હિંદુઓને આકર્ષવા માટે તેમણે હિંદુશાહી નામ ધારણ કરવા માંડયું. સમાધી જેવી હિંદુવિધિ અપનાવી. તેમના અનુયાયીઓ ખેજા તરીકે ઓળખાય છે. તેઓ દિવસમાં ત્રણ નમાઝ પડે છે. સૂફીવાદ ઉપર હિંદુ ધર્મની વ્યાપક અસર જોવા મળે છે. ખજ જમાત વિષ્ણુના દસ અવતારોને માને છે. અને પયગમ્બરને વિષ્ણુના એક અવતાર તરીકે ઓળખાવે છે. ખોજાઓને શિયા વહોરાની જેમ નામદાર આગાખાનને ઘણું કરવેરા આપવા પડે છે. આ એક અગત્યની વેપારી કોમ છે. પંથ : સમય જતાં ઈસ્લામ ધર્મમાં ગુજરાતમાં નીચેના પંથે પ્રચલિત થયા.
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy