SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મ ૧૦૭ આ સમયને જૈન આચાર્યોએ મુઘલ દરબારમાં પોતાનો પ્રભાવ પાડયે. હતો. હીરવિજયસૂરિ અકબરના કૃપાપાત્ર બન્યા હતા. તેમની સૂચનાથી બાદશાહ અકબરે રાજ્યમાં જીવહિંસા ન કરવાનું ફરમાન બહાર પાડયું હતું. બીજા એક ફરમાનમાં બાદશાહ અકબરે જૈન સાધુઓને કોઈપણ પ્રકારનો ત્રાસ ન. આપવા ની અને તેમને પોતાની આચાર પાલનની છૂટ આપવાની જાહેરાત કરી હતી. - ઈ. સ. ૧૫૫૬નાં બે ફરમાન દ્વારા મુઘલ બાદશાહ શાહજહાંએ શેઠ શાંતિદાસ ઝવેરીને ગુજરાતના જૈન સંઘના પ્રતિનિધિ તરીકે જેને ના તીર્થધામ શંખેશ્વર ગામને ઈજારો આપ્યો હતો. ઈ. સ. ૧૬૬૦માં શાંતિદાસ ઝવેરીને તેમની સેવાઓના બદલામાં બાદશાહ ઔરંગઝેબે જૈનધર્મના પ્રતિનિધિ તરીકે શત્રુંજય, આબુ, અને ગિરનારનાં જૈન તીર્થોની રોપણી કરી હતી. આ સમયે ઈડર, સોજિત્રા, સૂરત વગેરેમાં દિગબર સંપ્રદાયના ઘણું અનુયાયીઓ વસતા હતા. આ સમયે ગુજરાતમાં દિગબર સંપ્રદાયે કેટલાક જૈન ગ્રંથ રચ્યા હતા. આ સમયે જૈન ધર્મમાં કેટલીક શાખાઓ પડી ગઈ હતી. “મિરાતે અહમદી'માં જણાવ્યા પ્રમાણે આ સમયે ચેર્યાસીગચ્છ અસ્તિત્વમાં હતા, જેવા કે ઓસવાળગ૭, જરાવલગચ્છ, કકેરા, કરંટીઆ, ભરુચા, અઢાવિયા, કોડવીઆ વેકેદીઆ, રહમસાલીઆ, મોડાસીયા, વાસીયા, કચ્છપાલીઆ, ઘોઘાવાલ, વડોદરીયા ખંભાતીયા, બ્રહ્મના ઝાલેરા, ભૂખડીયા, ચિતડા, બાપરવાલ, મોઢાર હદીઆ, બાલધાસા, સાદા, કુંઝડીયા, કનીસા, સેદાનીઆ, સાકસનીઆ, ચાંચલીયાનાગર કેટીઆ, ભાવડાજીઆ, લુનારસીઆ, નાંદક, સિદ્ધપુરા, બોરસદીયા વગેરે. મુઘલકાલ દરમ્યાન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનેના બે ગ૭–તપાગચ્છ અને ખરતર ગ૭ વચ્ચે ઉગ્ર મતભેદ હતા. તપાગચ્છને મોટા અનુયાયી વર્ગ ગુજરાતમાં હતા. હીરવિજયસૂરિએ બંને ગ9-વચ્ચે સુમેળ કરવા નેધપાત્ર પ્રયત્ન કર્યા હતા. તેમણે “બારબોલ” નામની આજ્ઞાઓ ઈ. સ. ૧૫૯૦માં જાહેર કરી હતી. યાત્રાધામ : ગુજરાતના ઘણું નાનાંમોટાં નગર જૈનધર્મનાં યાત્રાધામો સમાન છે. તે સર્વેમાં નીચેનાં ખાસ નોંધપાત્ર છે : .
SR No.023328
Book TitleGujaratna Dharm Sampraday
Original Sutra AuthorN/A
AuthorNavinchandra A Acharya
PublisherUniversity Granth Nirman Board
Publication Year1983
Total Pages200
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy