SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ મહાવીર–જન્મકલ્યાણક ૧૮૯ બજારના નાકે રહેલા પિતાના ઘર પાસેથી બાર મહિનામાં કલ્યાણકના બાર જ વરઘેડા નીકળે તે પણ તેમાં રૂંવાડું ફરકતું નથી અને ઘેર લગ્ન હેય તે તેમાં માંડ કરે, પીપુડીવાળે લાવે, વરઘોડામાં આનંદભેર ચાલે આ આનંદ કયાંથી? કહો કે લગ્નમાં પ્રીતિ છે. ભગવાન પ્રત્યે ભક્તિ હોય તે કલ્યાણકને દિવસે હાજર થવું જ જોઈએ. તે દિવસે હાજર ન થાય અને બીજા દિવસે ભક્તિ બતાવે છે. બારમહિનામાં બારસે જાય એવું છે. કલ્યાણકના દિવસે પ્રભુને આરાધવામાં ન આવે તે બાકીના દિવસની ભક્તિ જિનેશ્વર અંગે નથી. કલ્યાણની આરાધના કઈ રીતે કરવી જોઈએ તે અંગે આ જણાવાયું કલ્યાણકની આરાધના શા માટે? પ્રભુ મહાવીરની દેશનાની વાણી જગતના જીનું રક્ષણ કરનારી છે. પથ્થરમાંથી પારસ બનાવે છે. પ્રભુ દિક્ષિત નહેતા થયા ત્યાં સુધીની વાણી સર્વ સામાન્ય હતી. જગતના ચરાચર પદાર્થોના ભાવે જાણ, જગતના જીવના કલ્યાણના બધા માગ દેખી, દેશના દ્વારા બતાવે છે. તેથી જ કલાકમાં “અનાજ' કહ્યું, ત્યારે તે ભગવાન્ એકલા કેવળપણાને યોગે જ આરાધવા લાયક બને છે ને ? તો ને. તીર્થંકર થી આરાધવા લાયક ગણાય. ઉચ્ચકોટીના આરાધ્યની ઉત્તમતા જન્મથી, તેથી તે “ધન્ય તેના માતાપિતાને, એમ કહેવાય છે. ગૌતમસ્વામી પ્રતિબોધિત થયાને ગણધર બન્યા, તેથી માતાપિતાને ધન્ય કેમ કહો છો ? જન્મનું પ્રશસ્ત પણ ન ગણે, તે માતાપિતાને ધન્ય કહો શી રીતે ? તીર્થકર સિવાય કોઈ જન્મથી તેવા જ્ઞાનવાળા દેતા નથી. ભાગ્યશાળીપણું ઉત્તમ કહ્યું છે, એવું ભાગ્યશાળીપણું કેઈ પણ દશામાં આવી જાય તે આગળ પાછળનું જીવન પૂજવા યોગ્ય છે પુષ્ય પુરુષના માતાપિતાને પણ ધન્યવાદ કહીએ તે તેઓના જન્મને આરાધ્ય કહીએ, તેમાં નવાઈ શી? બીજાને અંગે મહા પુરુષ થયા પછી આરાધ્ય, અને તીર્થકરે મહા પુરુષ થયા અગાઉથી આરાધ્ય, જેઓના જન્મ ચોદ રાજલોકમાં આનંદ અને નરકમાં અજવાળાં થયાં, માટે જ ત્રિલોકનાથ જેવા ઉત્તમ પુરુષને જન્મ વખાણાય, સ્તવાય ને આરાધાય. જેઓના જનમ જ
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy