SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ Sિ અષ્ટાહિકા વ્યાખ્યાન (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષે જઘન્યથી પણ માળા પહેરવાનું કૃત્ય. જરૂરી છે, કેટલાકને આ વાત ગમતી નથી. આથી બોલે છે કે. ભગવાનને વળી આ શું ? હું પૂછું છું કે શભા વિનાના દેરાસરમાં ભાવના કેવી રહેશે? દેવદ્રવ્ય વિના શભા થાય ? આખાયે સંઘમાં પરિણામની વૃદ્ધિ કરનાર દેવદ્રવ્યની વૃદ્ધિ છે, આથી તે અત્યન્ત આવશ્યક કર્તવ્ય તરીકે છે, ઈન્દ્રમાળા કે બીજી માળાની ઉછામણીથીદેવદ્રવ્યની વૃદ્ધિ કરવી જોઈએ. શ્રી રેવતાચાલજી ઉપર શ્વેતામ્બર અને દિગમ્બરને સંઘ ભેગે થયે હતો, તીર્થ અંગે વિવાદ થયો. તે વખતે વૃદ્ધોએ કહ્યું કે બોલી બોલે. તેમાં જે વધે તેનું આ તીર્થ. નિર્ણય પણ બેલીના આધારે થયે, બેલીનો રિવાજ કેવો તે વખતે પણ પ્રબલ હતો, તે અત્ર વિચારે ! આ સમયે સાધુ પેથડશાહે પ૬ ધડી સુવર્ણ બેલી ઈન્દ્રમાળા પહેરી, ધડી સોનું એટલે દશ શેર સેનું. તે સમયે તેઓએ ચાર ધડી સેનું તે યાચકોને આપ્યું હતું. એક વાત ખ્યાલમાં રાખજે કે પહેલાં દેવદ્રવ્યની બેલી બોલતા, તેનાં નાણાં તુરત જ આપી દેતા, બેંકમાં પણ નાણાં મૂકાય તેની સાથે તુરત વ્યાજ શરૂ થાય છે, પેથડશાહ છપન ધડી સોનું બોલ્યા અને માળ પણ પહેરી. સોનું આપવું જોઈએ તે માટે તુરત ઉંટડી–સાંઢણું દોડાવી, એ સોનું આવે નહિ, દેવાય નહિ ત્યાં સુધીઅન્ન પાણી લેવાં નહિ, આ સંકલ્પ કર્યો હતે, આથી છઠ્ઠ કર્યો, બીજે દિવસે જ્યારે બે ઘડી દિવસ બાકી રહ્યો, ત્યારે સેનું આવ્યું, સૂર્યાસ્તની. છેલ્લી બે ઘડી પાણી પીવાય નહિ. રાજ્યના મન્ત્રી હતા. કહો કેવી શ્રદ્ધા ! આ બધાનાં નામે શાસ્ત્રને પાને ખોટ નથી ચઢયાં. શાસ્ત્રને વિધિ છે કે બોલવું તે તુરત ચૂકવી દેવું. આ માટે નામે ચઢાવવું પડે, નોકર રાખવા પડે, ઊઘરાણીઓ કરવી પડે છે તે રીતે વ્યાજબી નથી. તુરત તે નાણું ન આપે તે વ્યાજભક્ષણને દોષ લાગે છે તે સમજે !' બોલાય છે કે પડતી કેમ આવી? પણ તમારાથી દરેક કાર્યમાં મુખ્ય પાપને વિચાર કેટલે કરાય છે તે વિચારતું નથી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy