SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૫૭ ફેય જ્ઞાયક અથવા વિષય વિષયીનો સંબંધ છે તેથી બન્ને એક નથી. એ પ્રમાણે નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપ ત્રણે દ્રવ્યાર્થિક નયની અપેક્ષા રાખવાવાળાં છે. આગળમાં થવાવાળી પયોયને ગ્રહણ કરવા સમ્મુખ દ્રવ્યને દ્રવ્યનિક્ષેપ કહે છે. અથવા વર્તમાન પર્યાયની વિવક્ષાથી રહિત અને ભૂત અથવા ભવિષ્ય પર્યાયની વિવક્ષાથી દ્રવ્યને જ દ્રવ્યનિક્ષેપ કહે છે. તેના આગમ દ્રવ્ય નિક્ષેપ અને આગામદ્રવ્ય નિક્ષેપ એવા બે ભેદ છે. આગમ, સિદ્ધાંત, અને પ્રવચન તે બધા એકાર્યવાચી આગમ નિક્ષેપ છે અને તેનાથી ભિન્ન પદાર્થને નોઆગમ દ્રવ્ય નિક્ષેપ કહે છે. વર્તમાનમાં શાસ્ત્રપ્રવચનના ઉપયોગથી રહિત જ્ઞાતાને આગમ દ્રવ્ય નિક્ષેપ કહે છે. જેમકે સુદર્શન મેરુના સ્વરૂપનું નિરૂપણ કરવાવાલા ક્યસાર ગ્રંથને જાણવાવાળે પુરુષ જે કાળમાં સુદર્શન મેરુના કથનમાં ઉપયુક્ત નથી તે કાલમાં તે જીવને સુદર્શન મેરુને આગમ દ્રશ્ય નિક્ષેપ કહે છે. નેઆગમદ્રવ્યનિક્ષેપના ત્રણ ભેદ છે (૧) જ્ઞાયક શરીર (૨) ભવ્ય અથવા ભાવિ (૩) તદ્વયતિરિક્તનેઆગમદ્રવ્યનિક્ષેપ છે. નિક્ષેપ્ય પદાર્થ (તદ્વિષયક) ને નિરૂપક શાસ્ત્રના અનુપચુકત (ઉપયોગ રહિત) જ્ઞાતાના શરીરને જ્ઞાયક શરીરનેઆગમદ્રવ્યનિક્ષેપ કહે છે. જેમકેઃ જીવપદાર્થનું પ્રરૂપણ જે શાસ્ત્રમાં છે તે શાસ્ત્રના અનુપયુક્ત જ્ઞાતાના શરીરને જીવ કહે તેને જ્ઞાયકશરીરનેઆગમવ્યનિક્ષેપ કહે છે. તે શરીરના ભૂત, ભવિષ્ય, વર્તમાન ત્રણ ભેટ છે. જે શરીરને છેડી જ્ઞાતા
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy