SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ કષાયના અભિમાનથી છૂટે, જન્મમરણના ભય લાગે, ત્યાગની ભાવના થાય, ધર્મપ્રત્યે રુચિ થતાં સ્વાધ્યાયમાં લાગી જાય, ત્યાં તેને તત્ત્વાની રુચિ ઉત્પન્ન થતાં પછી મેાક્ષમાર્ગ પર ચડી જાય તેવા ઉપદેશ વક્તાએ આપવા જોઇએ. અધ્યાત્મશૈલીમાં મુખ્યને તે નિશ્ચય ક્હો અને ગોણને વ્યવહાર કહ્યો છે. અભેદ ધમ`તા પ્રધાન કરી નિશ્ચયના વિષય છે અને પર્યાયભેદને ગૌણ કરી વ્યવહાર કહ્યો છે. નિશ્ચય આશ્રય વ્ય છે તે તેા અભેદ છે અને ભેદરૂપ વસ્તુનું જ્ઞાન બધા જીવાને હાય છે તેથી વ્યવહાર આશ્રય પર્યાયના કથનથી જીવાને જાણપણુ થાય છે. જેમકે: જીવને નર નારકાદિ પર્યાય છે, રાગદ્વેષાદ્રિ પર્યાય છે, જ્ઞાનના બેદરૂપ મતિજ્ઞાનાદિ પર્યાય છે, તેને જ જગતના જીવા જીવ માને છે. આ પર્યાયની વિષે અભેદ્યરૂપ અનાદિ અનંત એક ભાવ જે ચેતના ધર્મરૂપ છે તેને ગ્રહણ (શ્રદ્ધા) કરાવવા નિશ્ચયનયના વિષય ખતાવી જીવ દ્રવ્યનું જ્ઞાન કરાવ્યું ત્યારે પર્યાયાશ્રિત જે લેનય છે તેને ગૌણુતા રાખી કહ્યુ છે. અભેદ્ય દૃષ્ટિમાં પર્યાયના ભંગ જણાય નહીં તેથી અભેદનયનું દૃઢ શ્રદ્ધાન કરાવવા જીવને નિશ્ચયને આધ વ્યવહારથી કરાવવા જરૂરી છે, જો કે પર્યાય નય તે વ્યવહાર છે અભૂતા છે,અસત્યાર્થ છે પણ તે વસ્તુનું સ્વરૂપ સર્વથા નથી તેમ કહે, તા તે અનેકાંત વસ્તુ ધર્માંતે જ જાણતા નથી તેથી તે સર્વથા એકાંત શ્રદ્ધાનથી મિથ્યાદૃષ્ટિ છે. વળી અધ્યાત્મ શાસ્ત્રમાં નિશ્ચય વ્યવહાર અને નય પરસ્પર વિધિ નિષેધથી સખ્ત ભંગથી વસ્તુનું સ્વરૂપ કહેવું. પણ જો એકને સર્વથા સત્યા માને અને તેમાં એકને સથા અસત્યાર્થ માને તેા મિથ્યાશ્રદ્ધાન થાય તેથી સ્યાત (કથ ંચિત)
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy