SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પ૩૫ અને રાગાદિ મટતા બાહ્ય શ્રાવક મુનિ ધર્મ હોય છે. બાહ્ય સંયમ સાધન વિના પરિણામ નિર્મળ થઈ શકતા નથી. વકતાને ચારે અનુગનું જ્ઞાન હોવું જોઈએ અને જ્યાં જ્યાં જીવોની જેવી યોગ્યતા ગ્રહણ કરવાની હોય તે પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ ઉપદેશ આપવો જોઈએ. વર્તમાનકાળે સાચા જૈન દર્શનમાં પણ ઘણું પક્ષાપક્ષ અને ભેદભેદ થયેલ છે, તે બધે પંચમકાળને પ્રભાવ છે. વળી તેવી લાયકાતવાળા જ જીવોની અહીં ઉત્પત્તિ થાય છે. તેમાં તત્વ પ્રેમી ઘણું ઓછા છ હોય છે. મોટે ભાગે તે કુળધને પાળતા મિથ્યાત્વીએ જ હોય છે. નિભીત સત્ય વક્તા, વર્તમાન કાળમાં મળવા ઘણુજ દુષ્કર છે. વધારે તો ખુશામતીઆ, અભિમાની, તીવ્ર કષાયી, લોભી દેખવામાં આવે છે. તેઓનું આચરણ, ખાનપાન, વ્યવહાર આદિ ઘણેજ અશુદ્ધ હોય છે. તેવા વક્તાઓને ઉપદેશ દેવાને અધિકાર જ નથી. અર્થાત્ તેઓ વક્તા થવાને લાયક જ નથી. પ્રથમ તો વર્તમાન કાળે જીવોની પરિણતિ તીવ્ર કષાય અને સંસારના હેતુભૂત મિથ્યાત્વમાં ફસેલી હોય છે. સભામાં ઘણા અલપ ઝવેજ મેક્ષમાગી હોય છે અથવા તત્તવરુચિવાળા ભવભીરુ જ હોય છે. | સર્વ પ્રથમ છોને ગ્રહીત મિથ્યાત્વ અને તેના હેતુઓને છેડાવવા ઉપદેશ આપવો જોઈએ. પછી સંસારમાં માનવતાનું મળવું દુર્લભ છે. તેનું સ્વરૂપ બતાવવું જોઈએ. મુમુક્ષુઓનું કર્તવ્ય અથવા માનવતાનું સાર્થકપણું અને તેનું ફળ બતાવવું જોઈએ. જેથી જીવને મિથ્યાત્વ ભાવ ગળે, કઈક મંદ પરિણુમિ થાય,
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy