SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ડ્રાય ત્યાં ત્યાં અગ્નિ હાય જતેને અન્વય કહે છે. જેનું વિદ્યમાનપણું ન હોય તા તેનું પણ વિદ્યમાનપણું ન હાય જેમકે-જ્યાં જ્યાં અગ્નિ ન હૈાય ત્યાં ત્યાં ધુમાડા પણુ ન હાય, તેને વ્યતિરેક કહે છે. સમ્યગ્દર્શન પ્રગટ થવાથી જ આત્મામાં ક્ષયેાપશમ લબ્ધિ પ્રગટ થાય છે. પરંતુ સમ્યગ્દર્શન વિના ક્ષયાપથમ લબ્ધિ. કયારે પણ પ્રગટ થતી નથી. એટલા માટે સ્વાત્માનુભૂતિના સમ્યગ્દનની સાથે અવિનાભાવી ( સહચારીપણાને ) સંબંધ છે. સ્વાત્માનુભૂતિનું પ્રગટપણુ અનંતાનુખ ધી કષાય તથા મિથ્યાત્વ કના અભાવમાં થાય છે. જે સમયે અનંતાનુબંધી અને મિથ્યાત્વના અભાવથી સમ્યકત્વ ગુણુ પ્રગટે છે, તેજ સમયે સ્વાત્માનુભૂત્ર્યાવરણ કર્મોના ક્ષયાપશમ થાય છે. અર્થાત નિશ્ચય નયની નિર્વિકારી શુદ્ધાત્માનુભવના સન્મુખ, જે મતિજ્ઞાનાવરણુ કર્મના ક્ષયાપથમ છે, તેજ ઉપાદેયભૂત છે, અનંત સુખના સાધકરૂપ ડાવાથી ગ્રહણુ કરવા ચેાગ્ય છે. આનું સાધન જે બાહ્ય મતિજ્ઞાન તે વ્યવહારથી ઉપાય છે, એવા મતિજ્ઞાનાવરણ કર્મના વિશેષ પ્રકારના ક્ષયાપમ થાય ત્યારે જ સ્વાત્માનુભૂતિ પ્રગટ થાય છે. સ્વાત્માનુભૂત્યાવરણ કૅને મતિજ્ઞાનાવરણ કર્યું પણ કહે છે. સ્વાત્માનુભ્રત્યાવરણુ કર્મોના વિશેષ ક્ષયાપશમ થવાથી જે આત્માના સાક્ષાત અનુભવ રાવવાવાળી સ્વાત્માનુભૂતિ ઉત્પન્ન થાય છે, તે સમ્યક્ત્વની ઉત્પત્તિના સમયમાં જ થાય છે. સ્વાત્માનુભૂતિનું સમ્યક્ત્વની સાથે સહચારીપણું હાવાથી, અર્થાત્ સમાપ્તિ હાવાથી સ્વાત્માનુભૂતિને જ સમ્યક્ત્વનું લક્ષણુ
SR No.023326
Book TitleSamyaktva Sudha
Original Sutra AuthorN/A
AuthorChunilal Desai
PublisherJain Granth Prakashan Mala
Publication Year1953
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy